એક તરફ કોરોના અને બીજી તરફ ચૂંટણી પ્રજાને બંનેથી બીક લાગી રહી છે. કોરોનાના નવા સ્ટ્રેનથી પરેશાન જનતા વચ્ચે એક દિગ્ગજ કવિનું નિવેદન આવ્યુ છે.
ચૂંટણી આયોગ પર સાધ્યુ નિશાન
કટાક્ષ કરીને માસ્ક પહેરવા કર્યુ આવેદન
ટ્વિટ કરીને ચૂંટણી આયોગને સંભળાવ્યું
દેશમાં વધતા કોરોનાના કહેર વચ્ચે ટ્વિટ કર્યુ કે, કોરોના ભયંકર સ્વરૂપ સાથે પરત ફર્યો છે. અનુરાગ ટિટોવ ભાઇ, બબીતા ભાભી, રાજ્યલક્ષ્મી દીના દેહાંતથી હું દુઃખી છું. માસ્ક લગાવો અને જો ક્યાંય ન મળે તો ચુંટણી આયોગે પોતાની આંખો પર લગાવેલુ માસ્ક છે તેને જ તમારા મોઢા પર લગાવી દો. કુમાર વિશ્વાસનું આ ટ્વિટ હવે ઝડપથી સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યું છે.
વિશ્વાસનું ચુંટણી આયોગ પર નિશાન
કુમાર વિશ્વારની ટ્વિટમાં ચૂંટણી આયોગના નિર્ણય પર કટાક્ષ કર્યુ છે. કુમાર વિશ્વાસનું દર્દ છે કે એક તરફ સંપૂર્ણ લોકડાઉનમાં ભયંકર સ્વરૂપ સાથે પાછો આવ્યો છે તો બીજી તરફ ચૂંટણી આયોગને તે દેખાઇ રહ્યું નથી. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ચૂંટણી આયોગ પાંચ રાજ્યોમાં ચૂંટણી કરવા જઇ રહી છે.
આ લોકોની મોતથી દુખી છે વિશ્વાસ
કુમાર વિશ્વાસે પોતાના ટ્વિટ દ્વારા લખ્યું કે અનુરાગ ટિટોવ ભાઇ, બબિતા ભાભી, રાજ્યલક્ષ્મી દીદીના દેહાંતથી દુઃખી છું. માસ્ક લગાવો અને જો ક્યાંય ન મળે તો ચુંટણી આયોગે પોતાની આંખો પર લગાવેલુ માસ્ક છે તેને જ તમારા મોઢા પર લગાવી દો.
कोरोना भयावह होकर लौटा है।अनुराग टिटोव भैया,बबीता भाभी(उज्जैन),राज्यलक्ष्मी दी(मथुरा)के देहांत से दुखी हूँ😢
मास्क ज़रूर लगाएँ,कहीं न मिले तो जो मास्क चुनाव-आयोग ने अपनी आँखों पर लगा रखा है उसे ही आप मुँह पर लगा लें पर लगाएँ ज़रूर।देश के अंदर फैले सभी वायरसों से बहुत सतर्क रहें🙏 pic.twitter.com/QCRnyuK2Uo
ટ્વીટર પર 8 લાખથી વધારે ફોલોઅર્સ
દેશના ફેમસ કવિ તરીકે જાણીતા કુમાર વિશ્વાસ સોશ્યલ મિડીયા પર પોતાનું નિવેદન આપતા રહે છે. આમ આદમી પાર્ટી સાથે નાતો તોડ્યા બાદ તે રાજનૈતિક કટાક્ષ કરતા રહે છે. કુમાર વિશ્વાસના પ્રશંસકોની સંખ્યા છે. કુમારના ચાહકોની સંખ્યા ખુબ મોટી છે. ટ્વિટર પર જ 8 લાખથી વધારે ફોલોવર્સ છે.
કોરોનાના નવા લક્ષણો આવ્યા સામે
પેટમાં દુખવુ અને બેચેની
ગરમી આવે એટલે સામાન્ય રીતે બેચેની થવા લાગે છે અને લોકો તેને નજરઅંદાજ કરી દે છે પરંતુ છેલ્લા થોડા દિવસમાં આવેલા પેશન્ટમાં બેચેની અને પેટના દુખાવાની ફરિયાદ લઇને આવ્યા હતા અને તે પોઝીટીવ આવ્યા છે. જો તમને આ સમસ્યા બે કે ત્રણ દિવસથી વધારે રહે છે તો તેને હલકામાં ન લેશો.
માંસપેશીઓમાં દુખાવો અને કમજોરી
કમજોરી પણ કોરોનાના લક્ષણમાં સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા દર્દીઓ જણાવે છે કે તેમને એવુ ફીલ થાય છે કે તે આળસના શિકાર બની ગયા હોય. તેમના શરીરમાં ઉર્જા જ ન રહે અને જો તે કોઇ જગ્યાએ બેસે તો એક બે કલાક સુધી ઉભા ન થઇ શકે. વધારે ચાલવા પર તેમને થાક લાગી જાય છે. માંસપેશીઓમાં પણ દુખાવો થાય છે. જો તમને આવા લક્ષણ છે તો તાત્કાલિક તપાસ કરાવી લો.