જમ્મૂ કાશ્મીરમાં ભારતીય સેનાએ આજે વધુ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે, જ્યારે લાંબી અથડામણ બાદ સુરક્ષા જવાનોને સફળતા મળી છે.
જમ્મૂ-કશ્મીરમાં કુલગામમાં 4 આતંકી ઠાર
કુલગામના બે વિસ્તારમાં ચાલતી હતી અથડામણ
સામસામે અથડામણમાં 4 આતંકી ઠાર
સેનાએ હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન
કાશ્મીરમાં સેના આકરા મોડમાં
જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળોને આજે મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી, સેના અને આતંકવાદીઓ વચ્ચે આજે બે જગ્યાઓ પર અથડામણ થઈ જેમા ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીરનાં પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે પૂમબાઈ અને ગોપાલપોરા ગામમાં ચાર આતંકવાદીઓને મારવામાં આવ્યા છે અને હજુ બંને જગ્યાઓ પર અથડામણ ચાલુ જ છે.
Four militants killed In Pombai and Gopalpora villages of Kulgam district. At both these places, encounters are going on: IGP Kashmir Vijay Kumar pic.twitter.com/fGCobyETTq
હજુ પણ ઘાટીમાં છે કેટલાય આતંકવાદીઓ
આ પહેલા 15મી તારીખે સુરક્ષાદળોએ શ્રીનગરમાં બે આતંકવાદીઓને ફૂંકી માર્યા હતા, પોલીસ અધિકારીઓ અનુસાર આ જ વર્ષમાં 135થી વધારે આતંકવાદીઓને મારી પાડવામાં આવ્યા છે અને કાશ્મીરની ખીણમાં હજુ પણ 38 વિદેશી સહિત દોઢસોથી બસો આતંકવાદીઓ સક્રિય છે.
Major tragedy averted by Pulwama Police & security forces. 2 LeT terrorist associates Amir Bashir & Mukhtar Bhat arrested by Pulwama Police & security forces during joint naka checking. 2 ready to use IEDs recovered from them. Investigation in progress: IGP Kashmir Vijay Kumar pic.twitter.com/zZIDR2iz0g
બીજી બાજુ પુલવામાંમાં કાર્યવાહી
બીજી બાજુ કાશ્મીરની પોલીસે પુલવામામાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરતાં બે ઓવરગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી છે જેમની પાસેથી બે IED જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે નિવેદન જાહેર કરીણે કહ્યું કે પુલવામાં પોલીસની ચેકિંગમાં બે ઓવરગ્રાઉન્ડ વર્કર પકડવાની સફળતા હાથ લાગી છે અને પોલીસે બંને સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.