અંતિમ વનડેમાં ભારતે મેહમાન ટીમ આફ્રિકાને 99 રનમાં ઓલઆઉટ કરાવી દીધું હતું અને સિરિઝ જીતવાની પ્રબળ દાવેદારી કરી દીધી હતી.
અંતિમ વનડેમાં સાઉથ આફ્રિકાનો કંગાળ દેખાવ
આખી ટીમ 99 રનમાં ઓલઆઉટ થઈ
ભારતીય બોલર્સે મચાવી ધમાલ
કુલદીપે 4, શહબાજ અને વોશિંગ્ટને 2-2 વિકેટ ઝડપી
દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી સિરિઝની ત્રીજી વનડેમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવતાં આફ્રિકાને સસ્તામાં સમેટી લીધું હતું. વનડેના ઇતિહાસમાં આફ્રિકાનો આ સૌથી ઓછો સ્કોર છે. ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઉતરેલી આફ્રિકી ટીમના ખેલાડીઓના ભારતીય બોલરોએ છગ્ગા છોડાવી દીધા હતા અને આખી ટીમને ફક્ત 99 રનમાં ઓલઆઉટ કરાવી દીધી હતી. ભારત વતી કુલદીપ યાદવે 4, શહબાઝ અહમદ અને વોશિંગ્ટન સુંદરે 2-2 આફ્રિકી ખેલાડીઓને આઉટ કર્યાં હતા.
Ind vs SA, 3rd ODI: Kuldeep's four-fer helps hosts bundle out Proteas for 99
ભારતને જીત માટે મળ્યો 100 રનનો ટાર્ગેટ
બોલરની ઘાતક બોલિંગને કારણે આફ્રિકા ફક્ત 99 રન કરી શક્યું હતું અને ભારતને જીત માટે 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આફ્રિકાના હેનરિક ક્લાસેને સૌથી વધારે 34 રન બનાવ્યાં તો માર્કો જોનસને 14 અને જાનેમન મલાને 15 રન કર્યાં હતા.
ભારતના કયા બોલરે કેટલી વિકેટ લીધી
કુલદીય યાદવે 4, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાઝ, શહબાઝ અહમદે 2-2 વિકેટ ઝડપી હતી. આ રીતે આફ્રિકાની આખી ટીમ 27.1 ઓવરમાં 99 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
પહેલી વનડેમાં આફ્રિકાની, બીજી વનડેમાં ભારતની જીત
ઉલ્લેખનીય છે કે પહેલી વનડેમાં આફ્રિકાની તો બીજી વનડેમાં ભારતની જીત થયેલી છે અને હવે આફ્રિકા ટીમ સસ્તામાં આઉટ થઈ જતા ભારત માટે સિરિઝ જીતવાની પ્રબળ સંભાવના ઊભી થઈ છે. 100 રન પૂરા કરી લેતા જ ભારત સિરિઝ જીતી જશે.