લાંબા સમયથી ભારત ટીમની બહાર ચાલી રહેલા સ્પિનર હરભજન સિંહને હાલની ભારતીય ક્રિકેટ ટીમમાં એક સ્ટાર બોલર નજરે આવ્યો છે જે આગળ જઇને નંબર એક બોલર બનશે. હરભજન સિંહે ભવિષ્યવાણી કરી છે. એમનું કહેવું છે કે ભવિષ્યમાં ચાઇનામેન કુલદીપ યાદવ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નંબર 1 સ્પિન બોલર હશે.
હરભજનનું કહેવું છે કે કુલદીપે પહેલા દિવસે જ પોતાની કાબિલિયતનો પરિચય આપતાં વિકેટ પર દર્શાવી દીધો હતો કે એ શું કરી શકે છે. એ હવામાં ધીરેથી બોલને બંને બાજુ હલાવી શકે છે એવામાં એમને ભારતીય ટીમ માટે મુખ્ય ખેલાડીની ભૂમિકામાં હોવો જોઇએ. ભવિષ્યમાં એ નંબર 1 સ્પિન બોલર બની શકે છે.
જણાવી દઇએ કે વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સીરિઝમાં કુલદીપ સૌથી વધારે વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો.
થોડાક સમય અગાઉ પૂર્ણ થયેલી વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનાર પૃથ્વી શોને હરભજને કહ્યું કે એને નિર્ભય થઇને બેટિંગ કરી.
હરભજન સિંહનું માનવું છે કે ભારતની પાસે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ જીતવા માટેની શાનદાર તક છે. કારણ કે એમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર બંને ખેલાડી સામેલ નથી.