તમિળનાડુના કુન્નૂરમાં થયેલા અકસ્માતમાં રાજસ્થાનના ઝૂંઝનુનો એક દિકરો પણ શહીદ થઇ ગયો છે. સ્ક્વાડ્રન લીડર કુલદીપ સિંહ રાવ અને કેપ્ટન પીએસ ચૌહાણ હેલીકોપ્ટર ઉડાવી રહ્યાં હતા.
કુન્નુર દુર્ઘટનામાં કુલદીપ રાવનું પણ નિધન
કુલદીપના લગ્ન 2 વર્ષ પહેલા જ થયા હતા
કુલદીપ જ ઉડાવી રહ્યાં હતા હેલિકોપ્ટર
કુલદીપની બહેન ઇન્ડિયન નેવીમાં
સ્ક્વાડ્રન લીડર કુલદીપ સિંહનો જન્મ ઘરડાના ખુર્દ ગામમાં થયો હતો અને હાલમાં તેમનો પરિવાર જયપુરમાં રહે છે. કુલદીપના પિતા એક્સ નેવી ઓફીસર છે અને તેમની બહેન પણ નેવીમાં છે. કુલદીપના માતા પિતાનો તે એકમાત્ર દિકરો હતો અને 2 વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા.
કુલદીપ સિંહ ઉડાવી રહ્યાં હતા હેલિકોપ્ટર
તમિળનાડુના કુન્નૂરમાં બુધવારે સવારે થયેલા અકસ્માતમાં ભારતીય વાયુસેનાના સીડીસી બિપિન રાવતની પત્ની સહિત 11 અન્ય ઓફીસરોનું નિધન થઇ ગયું છે. જનરલ રાવત સાથે વાયુસેનાના Mi-175 હેલિકોપ્ટરમાં બ્રિગેડિયર સ્તરના અધિકારી પણ હાજર હતા. ઇન્ડિયન ઍરફોર્સના હેલિકોપ્ટરને સ્ક્વાડ્રન લીડર કુલદીપ સિંહ રાવ અને કેપ્ટન પીએસ ચૌહાણ હેલીકોપ્ટર ઉડાવી રહ્યાં હતા.
જયપુરમાં છે ફેમિલિ
શહીદ કુલદીપ સિંહ રાવ 2013માં ઍરફોર્સમાં ભરતી થયા હતા. તે પહેલા તેમણે પિતા રણધીર સિંહ કે જે પણ નેવીમાં હતા તેમની સાથે રહીને મુંબઇથી BSC-ITનો અભ્યાસ કર્યો હતો. 2 વર્ષ પહેલા તેમના લગ્ન મેરઠની યશ્વની ઢાકા સાથે થઇ હતી. કુલદીપની બહેન પણ નેવીમાં કાર્યરત છે.
કુલદીપના શહીદ થવાની ઘટનાથી પૈતૃક ગામ ચિડાવામાં નિરાશા વ્યાપી ગઇ છે. તેમના ઘરે પરિવારના લોકો અને ગ્રામીણો આવવા લાગ્યા છે. પરિવારના લોકોનું કહેવું છે કે પાર્થિવ દેહ સાંજ સુધી પહોંચી શકે છે. કુલદીપના કઝીને જણાવ્યું કે તે ભણવામાં નાનપણથી જ હોંશિયાર હતા અને ખુબ સરળ સ્વભાવના હતા. કોઇ પણ તેની પાસે જતુ હતુ તો પાછા જવાનું મન નહોતું નથી. કુલદીપને ક્રિકેટ રમવાનો પણ ખુબ શોખ હતો.