ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નરાધમ બળાત્કારી કુલદીપ સેંગરની દોષિત જાહેર કરવામાં આવ્યો છે. કુલદીપની સજા ઓછી કરવા માટે તેના વકીલે કાલાવાલા કરતા કહ્યું હતું કે કુલદીપ ગરીબ માણસ છે અને તેણે લોકો કલ્યાણના ઘણા કામો કર્યા છે તેથી તેની સજા હળવી કરવામાં આવે.
ઉન્નાવ બળાત્કાર મામલે દિલ્હીની તીસહઝારી કોર્ટે 16 ડિસેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ભાજપનો પૂર્વ MLA કુલદીપ સેંગર દોશી પુરવાર થયો છે. હાલમાં તેને સજાનું એલાન કરવામાં આવ્યું નથી. સજા માટે17 ડિસેમ્બરે કોર્ટમાં બંને પક્ષકારો વચ્ચે દલીલ થઇ હતી.
CBIના મતે સેંગરને એવી સજા મળવી જોઈએ જેથી સમાજમાં એક ઉદાહરણ બેસાડી શકાય. જો આવા સમયે દોષિતને સજા આપવામાં દયા દાખવવામાં આવશે તો સમાજમાં ખોટો સંદેશ ફેલાશે.
સેંગરના વકીલે શું કહ્યું?
સેંગરના વકીલે સજા ઓછી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું એ સેંગર એક ગરીબ માણસ છે. તેની બે પુત્રીઓ છે. આથી તેમની પાસે પીડિતા માટે વળતર ન વસૂલવામાં આવે.
ANI ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે વકીલે આગળ જણાવ્યું હતું કે સેંગર કેટલાય વર્ષોથી જનતાની સાથે છે. તેણે પ્રજા માટે ખૂબ કામ કર્યું છે. લોક કલ્યાણ માટે કામો કર્યા છે, સ્કૂલો ખોલી છે, ITI બનાવ્યા છે. એક આ કેસની છોડીને તેણે શાનદાર રાજનૈતિક કારકિર્દી ઘડી છે. આ કારણોસર તેની સજા ઓછી કરવામાં આવે.
2017 Unnao rape case: Lawyers for Kuldeep Singh Senger seeks minimum punishment from the court. His lawyers stated that Senger was in public life for decades. He has served the society and done lots of welfare works for upliftment of the people.
બંને પક્ષોની દલીલ સાંભળીને તીસ હઝારી કોર્ટે સુનાવણીની આગલી તારીખ 20 ડિસેમ્બર રાખી છે.
શું છે મામલો
જૂન 2017માં કુલદીપ સિંહ સેંગરે પીડિતાનું અપહરણ કરીને બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન તે સગીરા હતી. યૂપીમાં બાંગરમઉથી ચાર વારના ધારાસભ્ય સેંગરને ઓગસ્ટ 2019માં ભાજપથી હાંકી કાઢવામાં આવ્યા હતા.