કુલદીપ બિશ્નોઈએ બુધવારે ઈન્ટરનેટ પર એક વીડિયો અપલોડ કરીને જણાવ્યું હતું કે પુત્ર ભવ્ય બિશ્નોઈના લગ્ન IAS પરી બિશ્નોઈ સાથે નક્કી કર્યા છે. બંનેની સગાઈનો મે મહિનામાં કરવામાં આવશે
ભવ્ય બિશ્નોઈના લગ્ન IAS પરી બિશ્નોઈ સાથે નક્કી
પરીએ UPSC પરીક્ષામાં 30મું સ્થાન મેળવ્યું હતું
આદમપુરના ધારાસભ્ય છે ભવ્ય બિશ્નોઈ
પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ભજનલાલના બંને પૌત્રાઓ આદમપુરના ધારાસભ્ય ભવ્ય બિશ્નોઈ IAS પરી બિશ્નોઈ સાથે અને ચેતન્ય બિશ્નોઈ સૃષ્ટિ અરોરા સાથે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે બંનેના લગ્ન નક્કી થઈ ગયા છે અને બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. નોંધીનીય છે કે પિતા કુલદીપ બિશ્નોઈએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે.
ભવ્ય બિશ્નોઈના લગ્ન IAS પરી બિશ્નોઈ સાથે નક્કી
અખિલ ભારતીય બિશ્નોઈ સભાના આશ્રયદાતા કુલદીપ બિશ્નોઈએ તેમના બે પુત્રોની સગાઈનો ખુલાસો કર્યો હતો. જોકે થોડા દિવસોથી બંને ભાઈઓની સગાઈની વાતો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સાથે જ કુલદીપ બિશ્નોઈએ બુધવારે ઈન્ટરનેટ પર એક વીડિયો અપલોડ કરીને જણાવ્યું હતું કે આજે પહેલી નવરાત્રિ છે અને શુભ સમય સવારે 10.15 છે. અમે અમારા મોટા પુત્ર ભવ્ય બિશ્નોઈના લગ્ન IAS પરી બિશ્નોઈ સાથે નક્કી કર્યા છે. બંનેની સગાઈનો મે મહિનામાં કરવામાં આવશે.
“सर्वमंगल मंगल्ये शिवे सवार्थ साधिके, शरण्येत्र्यंबिके गौरी नारायणी नमोस्तुते।”
आपका स्नेह और आशीर्वाद बच्चों पर सदा बना रहे ऐसी प्रार्थना के साथ ये शुभ समाचार संझा कर रहा हूँ। 🙏 pic.twitter.com/LegiCq42pS
પરીએ UPSC પરીક્ષામાં 30મું સ્થાન મેળવ્યું હતું
જણાવી દઈએ કે IAS પરી બિશ્નોઈનો જન્મ 26 ફેબ્રુઆરી 1996ના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા તહસીલના કાકરા ગામમાં થયો હતો અને 27 વર્ષની પરી બિશ્નોઈ IAS કેડર સિક્કિમની છે. પરીના પિતા મણિરામ બિશ્નોઈ એડવોકેટ છે અને માતા સુશીલા બિશ્નોઈ રાજસ્થાનના અજમેરમાં જીઆરપીમાં પોલીસ અધિકારી તરીકે કામ કરે છે. નોંધનીય છે કે પરી બિશ્નોઈએ UPSC પરીક્ષા પાસ કરવા માટે ત્રણ પ્રયાસ કર્યા હતા. પહેલા પ્રયાસમાં નાપાસ થઈ, બીજા પ્રયાસમાં 118 અને ત્રીજા પ્રયાસમાં 124નો સ્કોર કર્યો હતો. વર્ષ 2019ની UPSC પરીક્ષામાં તે 30મા ક્રમે આવી હતી.
આદમપુરના ધારાસભ્ય છે ભવ્ય બિશ્નોઈ
આદમપુરના ભાજપના ધારાસભ્ય ભવ્ય બિશ્નોઈએ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ, લંડનમાંથી બેચલર ઓફ ગવર્નમેન્ટ એન્ડ ઈકોનોમિક્સમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કન્ટેમ્પરરી ઈન્ડિયામાં માસ્ટર ઑફ સાયન્સ પૂરું કર્યું છે. નોંધનીય છે કે ભવ્ય બિશ્નોઈ અને મેહરીન પીરઝાદાની સગાઈ થઈ હતી પણ થોડા સમય બાદ આ સગાઈ તૂટી ગઈ હતી.