આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતની સ્પષ્ટ સૂચનાઓ છતાં, પાકિસ્તાન ભારતને નિવૃત્ત નૌસેનાના અધિકારી કુલભૂષણ જાધવને મળવા દેતું નથી. આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાલયમાં ભારતના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું છે કે પાકિસ્તાનના આ વલણને જોતાં ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.
કુલભૂષણ જાધવ પર અડી પડ્યું છે પાકિસ્તાન
ભારત પાસે ફરી ICJમાં જવાનો વિકલ્પ
પાકિસ્તાન ભારતને કુલભૂષણને મળવા નથી દઈ રહ્યુ
આપણે ફરીથી આંતરરાષ્ટ્રીય અદાલતમાં જવાની જરૂર છે
એક ઓનલાઇન લેક્ચરમાં નિવૃત્ત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને લગતા કેસ અંગે માહિતી આપતાં હરીશ સાલ્વેએ કહ્યું કે પાકિસ્તાને તેને ઈગોનો મુદ્દો બનાવ્યો છે. અમે પાકિસ્તાનને ઘણા પત્રો લખ્યા છે, તેઓ હંમેશા નકારી રહ્યા છે. હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, "મને લાગે છે કે અમે તે તબક્કે પહોંચી ગયાં છીએ જ્યાં આપણે પાકિસ્તાનને ફરી એકવાર નિર્દેશો અપાવવા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જવું પડે. તેવો નિર્ણય લેવો પડી શકે છે. પાકિસ્તાન ગત ઓર્ડર પર એક પગલુ પણ ભર્યુ નથી. "
પાકિસ્તાને જાસૂસીનો ખોટો આરોપ લગાવ્યો છે
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને જાધવ પર જાસૂસીના પાયાવિહોણા અને ખોટા આક્ષેપો કર્યા છે. ત્યાંની એક સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને ફાંસીની સજા ફટકારી છે. હાલમાં તેઓ પાકિસ્તાનમાં બંધ છે. પાકિસ્તાને ગેરકાયદેસર તેમની ધરપકડ કરી છે. જ્યારે ભારત તેની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ગયું હતું, ત્યારે જુલાઈ, 2019 માં કોર્ટે પાકિસ્તાનને કોર્ટના નિર્ણય પર અસરકારક રીતે પુનર્વિચારણા કરવા અને કોઈ પણ સમય બરબાદ કર્યા વગર ભારતને કુલભૂષણ જાધવને મળ્યા દેવા જણાવ્યું હતુ.
ભારત જાધવને કોઈપણ સંજોગોમાં પાછો ઈચ્છે છે
હરીશ સાલ્વેએ કહ્યું કે અમે સતત પાકિસ્તાનને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કુલભૂષણ જાધવને મુક્ત કરવામાં આવે. ત્યારે તેઓ કહે છે કે તેઓ તેને માનવતાના આધારે છોડી રહ્યા છે, તો તેઓ એમ પણ કરી શકે છે. ભારત તેમને કોઈ પણ હાલતમાં પાછો લાવવા માંગે છે.
ભારત તમામ શક્ય પ્રયાસ કરી રહ્યું છે
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન કુલભૂષણ જાધવની સાથે સરબજીત સિંહની જેમ વર્તન ન કરે, ત્યારે હરીશ સાલ્વેએ કહ્યું કે ભારત શક્ય તેટલું કરી રહ્યું છે અને આ કેસ પર સતત નજર રાખે છે. તેમણે કહ્યું કે આ કેસ આંતરરાષ્ટ્રીય અદાલતના મુખ્ય કેસોમાંનો એક છે.