હેગઃ જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે આ મામલાને સ્થગિતક રવાની માગને ફગાવી દીધી છે. આનાથી હેગ સ્થિગ આતંરરાષ્ટ્રીય ન્યાયાલયમાં બીજા દિવસની સુનાવણી દરમિયાન પાકિસ્તાને પોતાનો પક્ષ રાખ્યો.
આઇસીજેમાં પાકિસ્તાનના અર્ટોની જનરલ અનવર મંસૂર ખાને આરોપ લગાવ્યો કે જાધવ ભારતીય ગુપ્ત એજન્સી રોના અધિકારી છે અને રોએ તેમને બલૂચિસ્તાન પર હુમલો કરવાના માટે મોકલ્યા હતા. આ મામલે બુધવારે ભારત તરફથી પોતાની વાત રજૂ કરવામાં આવશે.
પાકિસ્તાનનો પક્ષ રાખતા ખ્વાર કુરૈશીએ અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલ NSA અજીત ડોભાલે એક નિવેદનનો હવાલો આપ્યો. જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની નબળાઇ ભારતથી ઘણી વધુ છે જ્યારે તેને ખબર પડશે કે ભારતે રક્ષાત્મક વલથી આક્રામક વલણ અપનાવી લીધું છે તો આ તેના માટે અઘરૂં સાબિત થશે.
આપ(પાકિસ્તાન) એક મુંબઇ કરશે તો તમે બલૂચિસ્તાન ખોઇ શકો છો. જેમાં કોઇ ન્યૂક્લિયર પ્રહાર નહીં હોય અને ન કોઇ સેનાની જરૂરીયાત હોય. જો ચાલ ચાલવાની જાણો છો તો અમે તમારાથી વધુ જાણીએ છીએ.