પુલવામામાં CRPFના જવાનો પર જૈશ-એ-મહમ્મદના આતંકી હુમલાના 4 દિવસ બાદ ભારત અને પાકિસ્તાન કુલભૂષણ જાધવ મામલે આમને સામને આવ્યા છે. પૂર્વ ભારતીય નેવી ઓફિસર જાધવને ફટકારેલી મોતની સજા મામલે આજે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સુનાવણી કરશે. આ સુનાવણી 4 દિવસ સુધી ચાલશે.
આજે ભારતીય વકીલ હરીશ સાલ્વે અને મંગળવારે પાકિસતાની વકીલ ખાવર કુરૈશી દલીલો રજૂ કરશે. જે બાદ ભારત 20 ફેબ્રુઆરીએ તેના પર જવાબ આપશે..જ્યારે ઈસ્લામાબાદ 21 ફેબ્રુઆરીએ છેેલ્લી દલીલ રજૂ કરશે. આ વર્ષે જ આ મામલે ચુકાદો આવે તેવી આશા છે.
મહત્વનું છે કે પાકિસ્તાની સૈનિકોએ કુલભૂષણ જાધવને માર્ચ 2016માં બલુચિસ્તાન પ્રાંતથી ઝડપ્યો હતો. તેના પર અફઘાનિસ્તાનમાં જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે અને પાકિસ્તાની કોર્ટ જાધવને ફાંસીની સજા ફટકારી હતી.
જોકે ભારતે ICJનો દરવાજો ખટખટાવ્યો હતો. જે બાદ કોર્ટે 2017માં જાધવની સજા પર રોક લગાવી દીધી હતી.
આંતરરાષ્ટ્રીય કોર્ટ (આઇસીજે) ધ હેગમાં આજરોજ કૂલભુષણ જાધ મામલે સાર્વજનિક સુનાવણી કરવામાં આવશે. આ મામલે ભારત-પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રની આ કોર્ટમાં પોત-પોતાની દલીલ રજૂ કરશે.
બીજા વિશ્વયુધ્ધ બાદ આતંરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ લવા આઇસીજેની સ્થાપના કરવામાં આવી હતી. આસીજેની 10 સભ્યોની બેંચે 18 મે 2017માં પાકિસ્તાનને આ મામલે જ્યાં સુધી કોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી જાધવને સજા આપવા પર રોક લગાવી હતી. આઇસીજેએ હેગમાં 18થી 21 ફેબ્રુઆરી સુધી આ મામલે સાર્વજનિક સુનાવણીનો સમય નક્કી કર્યો છે.