કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) મામલા પર આંતરરાષ્ટ્રીય કોર્ટ (International Court)ના નિર્ણય પર જાધવના મિત્રોએ ખુશી વ્યક્ત કરી છે. અને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન(Imran Khan)ને અપીલ કરી કે, જાધવને મુક્ત કરવામાં આવે.
મુંબઇમાં કુલભૂષણના મિત્ર સચિન કાલેએ કહ્યું કે, 'પાક. પીએમ ઇમરાન ખાને કહ્યું હતું કે તે નવું પાકિસ્તાન બનાવશે. નવું પાકિસ્તાન ઇન્ટરવ્યૂ આપવાથી નહીં બને. એમણે કંઇક કરવું પડશે. કુલભૂષણ મામલે તેમણે પહેલ કરવી પડશે.' જાધવનો અન્ય એક મિત્રે કહ્યું, 'અમને ઇમરાન ખાનથી ખુબ આશાઓ છે. જો તે કુલભૂષણને મુક્ત કરે છે તો તેથી બંને દેશોની મિત્રતા મજબૂત થશે.' આપને જણાવીએ કે પાકિસ્તાને ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ ઇમરાન ખાને પોતાના ભાષણમાં નવા પાકિસ્તાન બનાવવાનું વચન આપ્યું હતું.
જાધવનો પરિવાર મુંબઇમાં રહે છે. કુલભૂષણ જાધવ મામલા પર આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ)ના નિર્ણયનો ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહેલા જાધવના મિત્ર અને સંબંધી એ સમયે ખુશીથી ઝૂમી ઉઠ્યા, જ્યારે આઇસીજેએ ભારતીય નાગરિકને એક પાકિસ્તાની કોર્ટ દ્વારા સંભળાવેલ ફાંસીની સજા પર રોક લગાવી દીધી.
આઇસીજેના અધ્યક્ષ ન્યાયાધીશ અબ્દુલકાવી અહમદ યુસુફે જેવો કોર્ટમાં ચૂકાદો આપ્યો, કુલભૂષણના મિત્રો, સંબંધિઓ અને તેમના ગામના લોકો રાહતનો શ્વાસ લેતા ખુશી વ્યક્ત કરી હતી. આઇસીજેએ રાજદ્વારી પંહોચના જાધવના અધિકારની પુષ્ટી કરી અને પાકિસ્તાનને નિર્દેશ આપ્યો કે તે જાધવ વિરુદ્ધ સંભળાવવામાં આવેલ સજા પર પુનર્વિચાર અને સમીક્ષા કરે.
કુલભૂષણ જાધવનું બાળપણ દક્ષિણ મુંબઇના પરેલમાં વીત્યુ હતું. કુલભૂષણ જાધવના પિતા સુધીર જાધવ પણ મુંબઇના સેવાનિવૃત સહાયક પોલીસ કમિશ્નર છે. કુલભૂષણ યાદવના સંબધી સુભાષ જાધવ પણ સેવાનિવૃત્ત સહાયક પુલિસ કમિશ્નર છે.