શનિવારે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ હાથરસમાં દલિત યુવતી સાથે થયેલા ગેંગરેપ અને તેના મૃત્યુ બાદ ઉત્તરપ્રદેશમાં બની રહેલા ઘટનાક્રમ વચ્ચે રામ રાજ્ય યાત્રા કાઢવાની ઘોષણા કરી છે.
અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના વરિષ્ઠ રાષ્ટ્રીય મહાસચિવ, કુંવર રાઘવેન્દ્રસિંહ રાજુએ પોતાના મુખ્યાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે, દશેરા બાદ ક્ષત્રિય મહાસભા હિન્દુ રક્ષા સેનાના સહયોગથી સમગ્ર દેશમાં રામ રાજ્ય યાત્રાનું આયોજન કરવા જઈ રહી છે.
"તાજેતરની ઘટનાઓ અંગે ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી છે."
આગ્રા અને અલીગઢથી પાછા ફરીને સિંહે કહ્યું કે, "તાજેતરની ઘટનાઓ અંગે ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી છે. સંગઠન ઇચ્છે છે કે કોઈ નિર્દોષોને ફસાવી ન શકાય. અમે દરેક નિર્દોષને કાનૂની સહાય પૂરી પાડીશું."
તેમણે હાથરસની ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને વિરોધી પક્ષ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "સત્તાના સ્વાર્થ ખાતર દેશને બાળી નાખનારાઓ હવે સુધરી જજો. હવે જનતા બધું સમજી રહી છે."
વરિષ્ઠ મહામંત્રીએ કહ્યું કે, "અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ હાથરસ કેસમાં CBIની તપાસ થવી જોઇએ તેવી માંગ કરી હતી અને આખરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે CBIને તપાસના આદેશ આપ્યા હતા.
ભારતમાં સદીઓથી વર્ણ વ્યવસ્થા અમલમાં છે, તેને તોડવાથી સમાજ તૂટી જશે
હિન્દુ રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રબુધનંદ ગિરીએ જણાવ્યું હતું કે ભારતમાં સદીઓથી વર્ણ વ્યવસ્થા અમલમાં છે, તેને તોડવાથી સમાજ તૂટી જશે. રામ રાજ્ય યાત્રા કાઢવાની જરૂરિયાત પર ભાર મુકતા તેમણે કહ્યું કે હાલના ખરાબ રાજકારણ અને માહોલને ધ્યાનમાં રાખીને આખા દેશને ફરીથી જોડવાની ખૂબ જ જરૂર છે.