રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોનો મુદ્દે ખૂબ ચર્ચા થઈ રહી છે. વિવિધ કૃષિ કાયદા સામે વિપક્ષી પાર્ટીઓની માંગ છે કે કાયદાને પરત લેવામાં આવે જેના જવાબમાં આજે સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જવાબ પણ રજૂ કર્યો હતો. જોકે સંસદની ચર્ચામાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેના નિવેદને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
Marathas, Jats, Rajputs & Thakurs want reservation in Maharashtra, Haryana, Rajasthan & UP respectively. There is a large population of Kshatriya community. Just as 10% reservation was given to economically weaker section, they should also be given reservation: Union Min Athawale pic.twitter.com/GMUT0cpyeW
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે મરાઠા, જાટ, રાજપૂત અને ઠાકુર સમાજ મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં અનામતની માંગ કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે ત્યારે જે રીતે આર્થિક રૂપથી નબળા વર્ગને 10% અનામત આપવામાં આવ્યું છે તે લોકોને પણ અનામત આપવું જોઈએ.
કૃષિ કાયદા પર સંભળાવી કવિતા
નોંધનીય છે કે રામદાસ અઠાવલે પોતાના આગવા અંદાજ માટે જાણીતા છે અને સંસદમાં જ્યાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા હંગામો જોવા મળે છે ત્યારે તેમના કારણે ઘણીવાર હળવું વાતાવરણ પણ થઈ જાય છે ત્યારે આજે જ્યાં કૃષિ કાયદાનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે રામદાસ અઠાવલેએ પોતાની કવિતા સંભળાવી હતી. તેમણે કહ્યું કે 'જે લોકો કહે છે કે બિલ કાળા છે તેમના મોઢા પર લગાવવાના તાળાં છે.'
પીએમ મોદી સામે પણ ઉઠાવી હતી માંગ
નોંધનીય છે કે આ પહેલા પણ રામદાસ અઠાવલે પીએમ મોદી સામે અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીની અધ્યક્ષતામાં ઓલ પાર્ટી બેઠક કરવામાં આવી હતી જેમાં તેમણે મરાઠા સમાજની જેમ દેશમાં દરેક ગરીબ ક્ષત્રિય સમાજના લોકોને અનામત આપવું જોઈએ તેવી માંગ ઉઠાવી હતી તથા અનુસૂચિત વર્ગ માટે અલગથી વિશ્વવિધ્યાલય બનાવવા માટે પણ માંગ કરી હતી.