કોમેડિયન કૃષ્ણા અભિષેકનો મામા ગોવિંદા સાથે વિવાદ વધતો જઈ રહ્યો છે. ત્યારે હાલમાં જ કૃષ્ણાનું એક નિવેદન સામે આવ્યું છે. ચાલો જાણીએ.
કોમેડિયન કૃષ્ણા અભિષેકનો મામા ગોવિંદા સાથે વિવાદ વધતો જઈ રહ્યો છે
કૃષ્ણાએ હાલમાં મામા સાથેના વિવાદ પર કહી આ વાત
ગોવિંદાએ તો ઘણી વખતે પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે
મીડિયામાં નિવેદનો આપવાથી લઈને તમામ વસ્તુ વાતચીત બંધ થવા સુધી આ સંબંધમાં ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે. ગોવિંદાએ તો ઘણી વખતે પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. તો હવે કૃષ્ણાએ મૌન તોડ્યું અને આ મુદ્દા પર વિસ્તારથી વાત કરી. અભિનેતાએ જણાવ્યું છે કે તે ખૂબ જ પરેશાન રહે છે. તેને લાગે છે કે તે કહેવા કંઈ માંગે છે અને તેનો મતલબ કંઈક બીજો જ કાઢવામાં આવે છે.
એક ન્યૂઝ પોર્ટલને આપેલાં ઈન્ટરવ્યૂમાં કૃષ્ણા અભિષેકે સ્વીકાર્યું કે કે ગોવિંદા સાથે તેના સંબંધો સારા નથી ચાલી રહ્યાં. તે કહે છે કે, મેં તો મારા મામાને લઈને ઘણી વખત વાત કરી છે. ઘણી વખત હું કંઈક કહું છું પરંતુ અધૂરું દેખાડવામાં આવે છે. મને બહુ જ ખરાબ લાગે છે. જે વસ્તુ મારા દિલની નજીક હોય છે હું તે વાતને મારા નજીકના લોકો સુધી પહોંચાડી શકતો નથી. માત્ર ગેરસમજ રહે છે. નાની વાતોને પણ મોટી કરીને બતાવવામાં આવે છે. મને તો એ પણ લાગે છે કે નેગેટિવ રિપોર્ટના કારણે મામા ગોવિંદા સાથે મારા સંબંધો ખરાબ થયા છે.
સમાધાન શું છે
આમ તો જ્યારે કૃષ્ણાને પૂછવામાં આવ્યું કે તે આ ખરાબ સંબંધોનો અંત ક્યારે લાવશે અને ફરી સંબંધો સારા ક્યારે થશે તો તેના જવાબમાં કૃષ્ણાએ કહ્યું કે, તે ઘણી વખત ઈન્સ્ટાગ્રામ લાઈવ કરવાનું વિચારે છે. તેને લાગે છે કે તે ડાયરેક્ટ પોતાની વાત કહી દે. પરંતુ અભિનેતાને એ પણ બરાબર નથી લાગતું. આવું કરવાની તેની આદત નથી અને જો આવું કરીશ તો ચહાકો પરેશાન થઈ જશે. આશ્ચર્યમાં પડી જશે અને અલગ અલગ મતલબ કાઢવા લાગશે.
ગોવિંદાએ શું કહ્યું હતું
હવે કૃષ્ણાએ તો ગોવિંદા સાથેના ખરાબ સંબંધોને ગેરસમજનું નામ આપી દીધું છે. પરંતુ ગોવિંદાની નજરમાં તેનો ભાણીયો ઘણી વખત પોતાની સીમા પાર કરી ચૂક્યો છે. એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું હતું કે, મને નથી ખબર કે તેનાથી આવું કોણ કરાવી રહ્યો છે, કૃષ્ણા એક સારો છોકરો છે. તે મજાક ઉડાવવાની સાથે પબ્લિકમાં મારી ઈમેજ પણ ખરાબ કરી રહ્યો છે.