વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર જનારી ભારચી ટી 20 ટીમનો સભ્ય ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ કહ્યું કે એ કેપ્ટન વિરાટ કોહલીથી જીતનો કબ્જો અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીથી ધૈર્ય શીખવા ઇચ્છે છે.
ગત વર્ષે ચાર નવેમ્બરે વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ટી-20 આંતરરાષ્ટ્રીય પદાર્પણ કરનાર કૃણાલે અત્યાર સુધી 11 મેચોમાં 11 વિકેટ પાડ્યા સાથે પાંચ ઇનિંન્ગમાં 23ની સરેરાશથી 70 રન પણ બનાવ્યા છે.
વિરાટ-ધોનીથી છે પ્રભાવિત
કેપ્ટન કોહલીના ઇમોશનથી પ્રભાવિત કૃણાલે કહ્યું, 'હું વિરાટ પાસેથી શીખવા માંગુ છું કે સતત સારું કરતા રહેવાથી ભૂખ કેવી રીતે યથાવત રાખી શકાય છે. એ કેવી રીતે દરેક સ્થિતિમાં આટલું નિરંતર પ્રદર્શન કરે છે. દરેક મેચમાં એ શૂન્યથી શરૂ કરે છે અને પછી ઘણા રન બનાવી લે છે અને ટીમને જીત અપાવે છે.' જ્યારે મહેન્દ્ર સિંહ ધોની માટે એને મીડિયાને કહ્યું, 'માહી ભાઇની જેમ ફિનિશર ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં કોઇ થયું જ નથી, મારા હિસાબથી તો વિશ્વ ક્રેકિટમાં આવું કોઇ રહ્યું નથી. ધોનીએ સતત આવું કરીને દેખાડ્યું છે. મને લાગે છે કે એમની પાસે ધૈર્ય છે અને પરિસ્થિતિઓ પ્રમાણે રમવાની ત્ક્ષમતા છે. હું માહી ભાઇ અને વિરાટ કોહલીથી આ બંને ચીજો શીખવાનો પ્રયત્ન કરીશ.'
કૃણાલ ભારત એ ટીમની સાથે વેસ્ટઇન્ડિઝના પ્રવાસ પર ગયો છે જ્યાં તેને પોતાની ઑલરાઉન્ડ રમતથી પ્રભાવિત કર્યા.વેસ્ટ ઇન્ડિઝ એ સામે એને ત્રણ દિવસની મેચોમાં 7 વિકેટ પાડી જેમાં ઇનિંન્ગમાં પાંચ વિકેટ પણ સામેલ છે.
ભારતીય ટીમના વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે પૂછવા પર એને કહ્યું, 'વેસ્ટઇન્ડિઝ પ્રવાસ શરૂ થવાની હું રાહ જોઇ રહ્યો છું કારણ કે આગળ ઘણી મેચ છે. બું તક મળવા પર બોલ અને બેટ બંનેથી સતત સારું પ્રદર્શન કરવા ઇચ્છું છું.'
કૃણાલ પંડ્યાએ પોતાની ઓળખનો શ્રેય ઇન્ડિયન પ્રીમિયમ લીગને આપે છે. મુંબઇ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર આ ખેલાડીએ કહ્યું, 'મારા માટે સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટસ મુંબઇ ઇન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરવાનો હતો કારણ કે હું મારી ક્ષમતાને દેખાડી શક્યો. '