ભારતીય ટીમના સ્પિનર ઑલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા છેલ્લાં લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે. જેમણે ભારતીય ટીમ માટે પોતાની અંતિમ મેચ વર્ષ 2021માં એટલેકે ગયા વર્ષે રમી હતી. ત્યારબાદ તેમને ફરીથી ટીમમાં તક મળી નથી.
ક્રુણાલ પંડ્યા ભારતીય ટીમમાંથી છે બહાર
હવે ભારતીય ટીમમાં તક ન મળતા ઈંગ્લેન્ડ ક્લબ સાથે જોડાયા
વારવિકશાયરે રૉયલ લંડન કપ ટુર્નામેન્ટ માટે ક્રુણાલ પંડ્યાને લીધા
ઈંગ્લેન્ડના ક્લબ સાથે જોડાયો ક્રુણાલ પંડ્યા
એવામાં હવે Krunal Pandya ભારતીય ટીમમાં તક ના મળતા ઈંગ્લેન્ડ ક્લબ સાથે જોડાયા છે. ઉલ્લેખનીય છે કે તેમને રૉયલ લંડન ક્લબ માટે વારવિકશાયરે પોતાની સાથે જોડ્યો છે. ભારતીય ટીમના સ્પિનર બોલર ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા હાલમાં ઈંગ્લેન્ડમાં ટી-20 અને વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ નથી. એવામાં 2 ઓગષ્ટથી શરૂ થતા વન-ડે ટુર્નામેન્ટ એટલેકે રૉયલ લંડન કપ માટે વોશિંગ્ટન સુંદર અને ચેતેશ્વર પૂજારા બાદ ત્રીજા ભારતીય હશે. જે આ ટુર્નામેન્ટમાં રમતા દેખાશે. મહત્વનું છે કે, હાલમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓને આઈપીએલ સિવાય કોઈ પણ ટી-20 લીગમાં રમવાની મંજૂરી નથી. એવામાં ત્રણ મોટા ખેલાડીઓને જોડવાથી રૉયલ લંડન કપની પ્રતિભા વધારે વધશે.
ક્લબ સાથે જોડાયા બાદ ક્રુણાલે આપ્યું નિવેદન
ભારતીય ટીમના ઑલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા હાલ ટીમમાંથી બહાર છે, તો એવામાં ઈંગ્લેન્ડના ક્લબ વારવિકશાયરે રૉયલ લંડન કપ ટુર્નામેન્ટ માટે ક્રુણાલ પંડ્યાને લીધા છે અને આ સાથે ક્રુણાલ પંડ્યા આ ટુર્નામેન્ટમાં રમનારા ત્રીજા ભારતીય બની ગયા છે. આ તકે તેમણે નિવેદન આપતા કહ્યું, હું કાઉન્ટી ક્રિકેટ રમવા અને આટલા મોટા ક્લબની સાથે રહેવાના અવસરથી ખુશ છુ. એજબેસ્ટન એક સારું મેદાન છે અને હું તેને પોતાનુ ઘર કહેવા માટે ઉત્સુક છુ. હું આશા રાખુ છુ કે ટીમના વન-ડે અભિયાનમાં પોતાનુ યોગદાન આપી શકુ.