ભારતના પ્રવાસે આવેલી બાંગ્લાદેશની ટીમે રવિવારે 3 T-20 મેચની સીરિઝની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાને હરાવીને પ્રવાસની શાનદાર શરૂઆત કરી.
આ જીતની સાથે બાંગ્લાદેશની ટીમે T20 માં નવો ઇતિહાસ પોતાના નામે કર્યો. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેમાં તેની ટીમ ઇન્ડિયાની સામે પહેલી જીત છે. પરંતુ આ જીતનો ટર્નિંગ પોઇન્ટ જે પળ રહ્યો જ્યારે કૃણાલ પંડ્યાએ છોડ્યો કેચ અને ભારતના હાથમાંથી મેચ ગઇ પંડ્યાએ ડ્રોપ કરેલો સરળ કેચ હતો. મેચની બીજી ઇનિંગ્સમાં 18મીમ ઑવર દરમિયાન કૃણાલ પંડ્યાએ છોડ્યો કેચ અને ભારતના હાથમાંથી મેચ ગઇ મુશફિકુરનો એક સરળ કેચ છોડ્યો અને તેની કિંમત ટીમ ઇન્ડિયાને ચૂકવવી પડી.
વાસ્તવમાં લો સ્કોરિંગ મેચમાં ટીમ ઇન્ડિયા માટે બધુ ઠીક ચાલી રહ્યુ હતુ. પરંતુ 18મી ઓવરમાં ડીપ મિડવિકેટ પર ઉભેલા કૃણાલે મુશફિકુર રહીમનો સરળ કેચ છોડી દીધો. આ સમયે ટીમ ઇન્ડિયાનો ચાલાક સ્પિનર માનતો યુઝવેન્દ્ર ચહલ બોલિંગ કરી રહ્યો હતો. તેની ઑવરમાં રહિમે સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો અને બોલ ડીમ મિડવિકેટ પર રહેલા ક્રૂણાલ પાસે ગયો, પરંતુ આ કેચને પકડી ન શક્યો અને બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો.
અહીંયા ટીમ ઇન્ડિયાને એક સાથે બે નુકસાન થયું .એક તો બાંગ્લાદેશને બાઉન્ડ્રી મળી અને બીજો તેના સાથી અનુભવી ખેલાડીની વિકેટ ન પડી. આ સમયે જો ટીમ ઇન્ડિયાને વિકેટ મળી ગઇ હોત તો બાંગ્લાદેશ માટે જીતવાના ચાન્સીસ ઓછા થઇ જાત. જો કૃણાલે આ કેચ પકડ્યો હોત તો બાંગ્લાદેશને 15 બોલમાં 33 રનની જરૂર હોત અને બેટિંગ માટે બંને તરફ નવા ખેલાડીઓ આવ્યા હોત, એવામાં કોટલાની ધીમી પિચ પર નવા બેટ્સમેનો માટે રન કરવા સરળ ન રહેત અને ટીમ ઇન્ડિયા જીતી ગઇ હોત.
આ સિવાય રહીમનો કેચ છૂટ્યો ત્યારે તેના 38 રન હતા, જે પછી આગામી 7 બૉલમાં 22 રન કર્યા. 43 બૉલમાં 60 રન બનાવનાર રહિમ મેન ઑફ ધ મેચ બન્યો.