23 મેનાં રોજ શુક્રનાં મેષ રાશિમાં પ્રવેશને કારણે રાહુ - શુક્રની યુતિથી ક્રોધ યોગ બનવા જઈ રહ્યો છે, જેની આ 5 રાશિના જાતકો પર ખરાબ અસર પડશે.
23 મેનાં રોજ શુક્ર કરશે મેષ રાશિમાં પ્રવેશ
રાહુ-શુક્રની યુતિથી બનશે ક્રોધ યોગ
આ 5 રાશિનાં જાતકોને વધશે તકલીફો
જ્યોતિષ અનુસાર, રાહુએ 12 એપ્રિલનાં રોજ વૃષભથી મેષ રાશિમાં ગોચર કર્યું હતું. હવે 23 મેનાં રોજ શુક્ર પણ મીનથી મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યોતિષોનું કહેવું છે કે મેષ રાશીમાં શુક્ર અને રાહુની યુતિથી ક્રોધ યોગનું નિર્માણ થશે. આ યોગને કારણે ઝઘડાઓ અને વિવાદો વધશે. તણાવનું વાતાવરણ રહેશે. 5 રાશિનાં જાતકો માટે ક્રોધ યોગ ઘાતક જણાવવામાં આવી રહ્યો છે.
મેષ
રાહુ-શુક્રની યુતિથી બની રહેલ ક્રોધ યોગ મેષ રાશિનાં જાતકો માટે તકલીફો વધારી શકે છે. તેમના સ્વભાવમાં ક્રોધની વૃદ્ધિ થઇ શકે છે. નજીકના લોકો સાથે દલીલોને કારણે સંબંધોમાં પણ ખટાશ આવી શકે છે. સ્વભાવમાં આવેલ નકારાત્મકતાને કારણે પાર્ટનરની તકલીફો પણ વધી શકે છે.
વૃષભ
રાહુ-શુક્રનો આ અશુભ યોગ આ રાશિનાં દ્વિતીય ભાવમાં બનશે. આની અસર ન માત્ર સંબંધો પર પડશે, પણ આર્થિક પણ તકલીફો વધવાની સંભાવના છે. ખર્ચાઓ પણ વધી શકે છે. તમારી છાપ ખરાબ થઇ શકે છે.
સિંહ
આ રાશિનાં પાંચમાં ભાવમાં ક્રોધ યોગ બનશે, જેની ખરાબ અસર આ રાશિનાં જાતકોની લવ લાઈફ પર પડશે. પાર્ટનર સાથે કોઈ વાતને લઈને વિવાદ વધી શકે છે. વાણી પર સંયમ ન હોવાને કારણે ઘણા મોટા નુકસાન ભોગવવા પડી શકે છે.
તુલા
આ રાશિના સાતમાં ભાવમાં ક્રોધ યોગ બનશે. આ રાશિના જાતકોનાં દાંપત્યજીવન પર પણ અસર પડી શકે છે. એમ પણ શક્યતા છે કે અમુક જાતકો પોતાના સંબંધથી થોડો બ્રેક લેવાને કારણે પાર્ટનરથી થોડો સમય દૂર જવાનો પણ નિર્ણય લઇ શકે છે.
કુંભ
આ રાશિનાં અહીયારમાં ભાવમાં ક્રોધ યોગ બનશે. આ દરમિયાન આ રાશિનાં જાતકોની ઈચ્છાઓ ઘણી વધી શકે છે. તેમની એકાગ્રતા ભંગ થઇ શકે છે અને કોઈ કામમાં મન ન લાગવાની પણ સંભાવના છે. દાંપત્યજીવનમાં પણ તકલીફો આવી શકે છે. મિત્રો તથા સંબંધીઓ સાથે દલીલો કરવાથી બચવું જોઈએ.