ફિલ્મ ક્રિટિક KRKએ ટ્વીટ કર્યું છે કે તેઓ ફિલ્મ રીવ્યૂ છોડીને RSS જોઈન કરશે.
KRKએ કહ્યું કે તેઓ RSS જોઈન કરશે
છેલ્લે માત્ર વિક્રમ વેધાનો રીવ્યૂ કરશે
ટ્વીટ કરીને આપી જાણકારી
KRKએ કહ્યું કે તેઓ RSS જોઈન કરશે
ફિલ્મ ક્રિટિક કમાલ આર.ખાન પોતાના ટ્વીટ્સને લઈને હંમેશા ચર્ચાઓમાં રહે છે. તેઓ પોતાના ટ્વીટને કારણે ઘણી વખત મુશ્કેલીમાં અપન મુકાય જાય છે. હાલમાં જ KRKએ એલાન કર્યું કે તેઓ ફિલ્મ રીવ્યૂ કરવાનું છોડી દેશે. તેઓ છેલ્લી વાર ઋતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધાનો રીવ્યૂ કરશે. હવે તેમણે એક નવું ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ RSS જોઈન કરશે.
It’s final and confirmed. Soon, I will go to Nagpur to join #RSS officially.
KRKએ તાજેતરમાં જ ટ્વીટ કરીને ફેન્સને આ વિષે જણાવ્યું છે. તેમણે ટ્વીટ કર્યું : આ ફાઈનલ અને કન્ફર્મ છે, હું ઓફિશિયલી RSS જોઈન કરવા માટે નાગપુર જઈશ.
ફેન્સનાં રીએક્શન
KRKનાં આ ટ્વીટ પર તેમના ફેન્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તમે મૂવી રીવ્યૂમાં જ ઠીક છો. જ્યારે અન્ય યુઝર કહે છે કે ત્યાનો રીવ્યૂ સાંભળવા માંગીશું અમે.
I quit. #VikramVedha is the last film, I will review. Thank you all for trusting my reviews n making me the biggest critic in the history of Bollywood. Thanks to all the Bollywood ppl also for not accepting me as a critic but filing so many cases against me to stop my reviews.❤️
વિક્રમ વેધા બાદ નહીં કરે રીવ્યૂ
KRK એ તાજેતરમાં જ ટ્વીટ કરીને જણાવ્યું છે કે વિક્રમ વેધા છેલ્લી ફિલ્મ હશે, જેનો તે રીવ્યૂ કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે મારા પાસે માત્ર બે વિકલ્પ હતા. પહેલો કે હું મુંબઈ છોડી દઉં અને બીજો કે હું ફિલ્મ રીવ્યૂ કરવાનું બંધ કરી દઉં. તો મેં બીજો ઓપ્શન પસંદ કર્યો છે, કેમકે બોલીવુડનાં લોકો પાસે મારી વિરુદ્ધ કેસ કરવા માટે મુંબઈમાં ઘણો પોલીટીકલ સપોર્ટ છે.
જાણાવી દઈએ કે તાજેતરમાં જ KRKને તેમના વિવાદિત ટ્વીટને કારણે અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ લગભગ 10 દિવસો સુધી જેલમાં રહ્યા હતા. તેમણે ટ્વીટ કરીને પોતાના જેલમાં વિતાવેલા દિવસો વિષે પણ જણાવ્યું હતું.