સુશાંત સિંહ રાજપૂત એક એવુ નામ જે આજે દરેક મોટા મોટા સેલિબ્રિટીના મોઢે લોવાઇ રહ્યું છે. ભારતના વડાપ્રધાનથી લઇને બોલિવૂડના દિગ્ગજ કલાકારો આજે સુશાંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે પરંતુ તેની મોત પાછળનું કારણ માત્ર ને માત્ર હતાશા છે. સુશાંત એક સુરજના કિરણ માટે ઝંખતો રહ્યો જે તેને આ હતાશામાંથી બહાર લઇ જાય. તે સમયે બધા જ કલાકાર અને તેની આસપાસના લોકોને જાણ સુદ્ધા પણ ન થઇ કે તે હતાશાના વમળમાં ડૂબી રહ્યો હતો.
સુશાંતની આત્મહત્યા પર સવાલ
કેમ હતો ડિપ્રેશનમાં ?
શું નેપોટીઝમ સુશાંત પર ભારે પડ્યુ?
હતાશા શા કારણે હતી
આજે દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે કે, સુશાંતને કઇ વાતનું ડિપ્રેશન હતુ? તે એક સક્સેસફૂલ એક્ટર હતો, તેની પાસે કામ હતું. ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ દિલ બેચારા રિલીઝ થવાની હતી, તો ક્યા કારણસર તેણે આ પગલુ ભર્યુ ?
ફેબ્રુઆરી 2020ના મહિનામાં કમલ આર ખાને એક ટ્વિટ કર્યુ હતુ, જેમાં લખ્યુ હતુ કે અમુક પ્રોડક્શન હાઉસે સુશાંત સિંહ રાજપૂતને બોટકોટ કર્યો છે. માટે હવે સુશાંત ટેલિવિઝન તેમજ વૅબ સિરિઝમાં જ કામ કરી શકશે. શું આ જ કારણ હતું કે સુશાંતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધુ ?
ધર્મા પ્રોડક્શન, સાજીદ નડીયાદવાલા, વાય આર એફ, ટી સિરીઝ, સલમાન ખાન પ્રોડક્શન, બાલાજી વગેરે પ્રોડક્શન હાઉસે સુશાંત સિંહ રાજપૂતને બૅન કર્યો છે. આ ટ્વિટ KRK boxoffice ના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી ફેબ્રુઆરીના મહિનામાં કરવામાં આવી હતી. આ મુદ્દા બાદ નેપોટીઝમનો ટૉપિક ફરીથી બહાર આવ્યો હતો. નેપોટીઝમને કારણે લાખો યુવાનો પોતાના સપના પૂરા કરતા ડરે છે.
પોતે મહેનતથી બનાવેલા કરિયરને ડૂબતા જોઇને સુશાંત હતાશામાં ગરકાવ થઇ ગયો હોય અને અંતે તેણે મોતને વ્હાલુ કર્યુ હોય. જો આ વાત સત્ય છે તો તમારામાં સારુ ટેલેન્ટ હોવુ પણ એક શ્રાપ સમાન છે.