બોલીવૂડ એક્ટર શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનની જામીનની અરજી પર મુંબઇ કોર્ટે 20 ઓક્ટોબર સુધી પોતાનો નિર્ણય સંભળાવવા કહ્યું છે ત્યારે બોલીવૂડના આ ખાને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
આર્યન ખાનના જીવને જોખમ છે
KRKએ આપ્યું ચોંકાવનારું નિવેદન
2 ઓક્ટોબરે આર્યનની ધરપકડ કરી હતી
KRKએ આપ્યું નિવેદન
સેલેબ્સ ટ્વિટ કરી રહ્યાં છે અને KRKએ ટ્વિટ કરીને લખ્યું કે, 'NCB આર્યન ખાનને જેલમાં 20 ઓક્ટોબર સુધી રાખવામાં સફળ થઇ ગઇ છે. મતલબ આર્યન ખાનને નર્ક જોવું પડશે. આશા છે તે આ અસહનીય દર્દને બહાદુરીથી સહન કરી શકે. મારી પ્રાર્થના તેની સાથે છે કારણકે તેના જીવને ખતરો છે.
આર્યન ખાનને જેલની અંદર 11 ઓક્ટોબરે 4500 રૂપિયાનો મની ઓર્ડર આવ્યો હતો. આર્યન ખાનને આ મની ઓર્ડર તેના પિતા શાહરુખ ખાને મોકલ્યો હતો. આર્યન ખાને આ મની ઓર્ડરનો ઉપયોગ પોતાના કેન્ટિનના ખર્ચા માટે કર્યો. જેલના નિયમ મુજબ, એક કેદીને એક મહિનામાં માત્ર 4500 રૂપિયાના મની ઓર્ડરની અનુમતિ છે.
#NCB is successful to keep #AryanKhan in jail till October 20! Means Aryan has to go through the hell. Hope he will be able to bear this unbearable pain bravely. My prayers with him because his life is in danger.
કેદી નંબર 956..
જેલની અંદર દરેક કેદીને એક નંબર આપવામાં આવે છે. આર્યન ખાનને 956 નંબર આપવામાં આવ્યો છે. જેલમાં કેદી નંબરને બંદી નંબર પણ કહેવામાં આવે છે. જેલમાં કોઈપણ કેદીને તેના નંબરથી બોલાવામાં આવે છે. આ રીતે આર્યન ખાનને બોલાવવા માટે 956 નંબરનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં સુધી આર્યન ખાન જેલમાં રહેશે ત્યાં સુધી તેને આ જ નંબરથી બોલાવાશે.
ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરની રાતે મુંબઈમાં ક્રૂઝ પર યોજાઈ રહેલી ડ્રગ્સ પાર્ટી પર NCBના દરોડામાં આર્યન ખાન પકડાયો હતો. આર્યન ખાનની સાથે અન્ય લોકો પણ પકડાયા હતા. આ પછી આર્યન ખાન સહિત તમામ આરોપીઓને NCBની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. હાલમાં, આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ છે.