વિશ્વકપ ક્રિકેટનાં પહેલા સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડનાં હાથે જ ટીમ ઇન્ડીયાને મળેલી હાર બાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી (virat kohli) વિરૂદ્ધ બરાબર ગુસ્સો ઉતારવામાં આવ્યો છે. વિરાટ કોહલી ટીમ ઇન્ડીયાનાં કેપ્ટન છે અને સેમીફાઇનલમાં તેઓ માત્ર એક રન બનાવીને આઉટ થઇ ગયા. કોહલીનાં આ પરફોર્મન્સથી ક્રિકેટ ફેન્સને જબરદસ્ત ઝટકો લાગ્યો હતો. કોહલી પર બોલીવુડ સેલિબ્રિટી કમાલ ખાન (કેઆરકે)એ બરાબર પ્રહાર કર્યા.
વિશ્વકપ ક્રિકેટનાં પહેલા સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડનાં હાથે જ ટીમ ઇન્ડીયાને મળેલી હાર બાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી (virat kohli) વિરૂદ્ધ બરાબર ગુસ્સો ઉતારવામાં આવ્યો છે. વિરાટ કોહલી ટીમ ઇન્ડીયાનાં કેપ્ટન છે અને સેમીફાઇનલમાં તેઓ માત્ર એક રન બનાવીને આઉટ થઇ ગયા. કોહલીનાં આ પરફોર્મન્સથી ક્રિકેટ ફેન્સને જબરદસ્ત ઝટકો લાગ્યો હતો. કોહલી પર બોલીવુડ સેલિબ્રિટી કમાલ ખાન (કેઆરકે)એ બરાબર પ્રહાર કર્યા છે.
કેઆરકે (KRK) virat kohliએ તો કોહલીને ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપ છોડવા સુધીની વાત કરી છે. બુધવારનાં રોજ સેમીફાઇનલમાં હાર્યા બાદ કેઆરકેએ ટ્વિટર પર બરાબર શબ્દપ્રહાર કર્યા છે. કેઆરકેએ સૌથી પહેલા લખ્યું કે ટીમ ઇન્ડીયાની સૌથી મોટી સમસ્યાએ છે કે તેઓએ ન્યુઝીલેન્ડને કંઇ સમજ્યા જ નહીં. તેમને લાગ્યુ કે આ મેચ તો સામાન્ય છે.
કેઆરકેએ ફરીથી લખ્યું કે, વિરાટ કોહલીએ કહ્યું હતું કે લોકોએ અમે જીતીએ કે હારીએ, પણ બંને મોકા પર સમર્થન આપવું જોઈએ. ભાઈ, આપ જરા એ જણાવો કે આપ જીત્યા ક્યારે છો. તમે આઈપીએલ સુધી નથી જીત્યા. તેથી તમારે એમ કહેવું જોઈએ કે તમે એક હારેલા ખેલાડી છો અને તેમ છતાં લોકો તમને શ્રેષ્ઠ ખેલાડી કહે છે.
Actually The biggest problem of Indian team was that The players were considering #NewZealand team just nothing and they were believing to win the match like a Halwa. They didn’t know that New Zealand bowlers will make them cray for runs.#NZLvIND#ICCWC2019
So #Kohli said in the press conference that people should appreciate team for winning and loss both.
Bhai Aap Zara Ye Batado Ki Aap Jeete Kab Thai? You can’t even win #IPL. So you should say that you will always lose and ppl should still call you best player. Lol! #AaaThoo!
Means you can’t play better than this and you can never win #IPL also forget the World Cup. If you know very well that you are the worst captain in the history of Indian cricket then why don’t you leave captaincy? But then how will you get advertisements?https://t.co/OJcqd2dhk9
કેઆરકેએ મેચ બાદ કરવામાં આવેલ વિરાટ કોહલીનાં ટ્વિટની બરાબર મજા ઉડાવી. વિરાટે લખ્યું હતું કે, 'હું દરેકનો આભાર માનું છું, જેમણે અમારો સપોર્ટ કર્યો. આપ સૌએ આને યાદગાર બનાવી દીધી પણ અમે સૌ નિરાશ છીએ. એક એવી ભાવનાઓ શેર કરીએ છીએ કે અમે એવું કર્યુ કે જે અમે કરી શકતા હતાં. જય હિંદ.
આ ટ્વિટ પર કમેન્ટ કરતા કેઆરકે લખ્યું કે, "આનો મતલબ આપ આના કરતા વધારે સારું ના રમી શકો. આપ ક્યારેય આઇપીએલ જીતી નહીં શકો એમ, પછી વર્લ્ડકપની તો વાત ભૂલી જાઓ. આપને એ ખ્યાલ આવો જોઇએ કે આપ ઇતિહાસનાં સૌથી ખરાબ કેપ્ટન છો. આપ કેપ્ટન પદ છોડી કેમ નથી દેતા. પરંતુ જો આવું હોત તો આપને જાહેરાત કેવી રીતે મળશે. તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડીયાની હાર બાદ બોલીવુડનાં અનેક કલાકારોએ ટીમને સપોર્ટ કર્યો છે. જેમાં અનુપમ ખેર અને અમિતાભ બચ્ચનનું નામ પણ શામેલ છે.