ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાને રાધે ફિલ્મનો રિવ્યૂ કર્યો અને બાદમાં તે ખુબ વાયરલ થયો હતો અને ત્યારથી સલમાન અને કેઆરકે વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે કેઆરકેએ એક ટ્વિટમાં સલમાનને રોડ પર લાવવાની વાત કહી નાંખી.
ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાને રાધે ફિલ્મનો રિવ્યૂ કર્યો
સલમાને તેની સામે માનહાનિનો કર્યો દાવો
સલમાન અને કેઆરકે વચ્ચે છેડાઈ ગઈ જંગ
તમને જણાવી દઈએ કે, કેઆરકે એટલે કે કમાલ આર ખાને ટ્વિટ કરીને સલમાન ખાનની ફિલ્મની ખૂબ ટીકા કરી હતી. જે બાદ સલમાને કેઆરકે પર માનહાનિનો દાવો કર્યો છે અને નોટિસ ફટકારી. એ પછી કેઆરકે સલમાન વિરૂદ્ધ એક પછી એક ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો છે. ત્યારે હાલમાં ફરી તેણે એક વાંધાજનક ટ્વિટ કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે.
કેઆરકેએ પોતાની ટ્વિટમાં ભાઈજાનને રસ્તા પર લાવવાની વાત કહી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું, સાંભળ્યું છે કે તેણે ઘણાં લોકોના કરિયર ખતમ કરી દીધા છે. જેણે પણ તેના વિરૂદ્ધ કંઈ કહ્યું છે, તેણે એ લોકોને બરબાદ કરી નાખ્યું. હવે હું તેનું કરિયર બરબાદ કરી નાંખીશ અને તેને રસ્તા પર લાવી દઈશ.
એ પછી વધુ એક ટ્વિટમાં કેઆરકેએ લખ્યું-મને બોલિવૂડમાંથી ઘણાં ફોન આવી રહ્યાં છે. ઘણાં લોકો ટ્વિટ કરીને સજાની માંગ પણ કરી રહ્યાં છે અને ઘણાં લોકોએ તો એવું પણ કહ્યું કે તમને મારી નાખીશું. તમારી ચિંતા બદલ આભાર. પણ હું એનાથી ડરતો નથી. હું સત્ય માટે લડતો રહીશ. જોકે, કેઆરકેની આવી ટ્વિટ્સ બાદ હજી સુધી સલમાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.