વર્ષોથી એક બીજાને ડેટ કરી રહેલા રણવીર અને દીપિકા માટે તાજેતરમાં જ એક ભવિષ્યવાણી કરવામાં આવી છે. બોલીવુડની મસ્તાનીના ચાહકો મોટાભાગે એમને પ્રશ્ન કરતાં રહે છે કે એ એના બોયફ્રેન્ડ રણવીર સાથે ક્યારે લગ્ન કરશે. જી હાં આ ભવિષ્યવાણી બીજા કોઇએ નહીં પરંતુ વિવાદોમાં રહેલા કેઆરકેએ કરી છે.
એમને કહ્યું છે કે રણવીર અને દીપિકાના લગ્ન કોઇ દિવસ થશે નહીં. કમાલ આર ખઆનએ પોતાના એક ટ્વિટમાં આ વાતનો દાવો કર્યો છે. કેઆરકે એ પોતાના ટ્વિટમાં લખ્યું 'મેં પહેલા કહ્યું હતું કે સુશાંત અને અંકિતાના લગ્ન ક્યારેય પણ થશે નહીં જે સાચું પડી ગયું.'
કેઆરકે એ એક બીજું ટ્વિટ કરીને લખ્યું 'આજે હું એવું પણ કહું છું કે રણવીર સિંહ કોઇ પણ સંજોગે દીપિકા સાથે લગ્ન કરશે નહીં.' કેઆરકે લખ્યું છે કે ' આ લોકા એટલા માટે લગ્ન નહીં કારણ કે એ લોકા લવર્સ નથી પરંતુ માત્રા સારા મિત્રો છે.'
તાજેતરમાં જ રણવીર અને દીપિકા ગણેશચતુર્થીના પ્રસંગે મુકેશ અંબાણીના ઘરે જોવા મળ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર બંનેનો ફોટો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ પ્રસંગે દીપિકાએ સાડી પહેરી છે અને રણવીરે કુર્તા પાયજામામાં જોવા મળ્યા છે.