KRKએ BJPનાં જીતવા પર ભારત છોડવાનું એલાન કર્યું હતું અને હવે તેઓ યોગી આદિત્યનાથને અભિનંદન પાઠવી રહ્યા છે. જુઓ તેમનું આ ટ્વીટ
કેઆરકેએ આપ્યા યોગીજીને અભિનંદન
BJPનાં જીતવા પર ભારત છોડવાનું કર્યું હતું એલાન
લોકોએ કર્યા ટ્રોલ
કેઆરકેએ આપ્યા યોગીજીને અભિનંદન
બોલિવુડ એક્ટર કમાલ આર ખાન ઉત્તર પ્રદેશ વિધાનસભા ઇલેકશનનાં પરિણામને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાનો સાધી રહ્યા હતા. તેમનો દાવો હતો કે આ વખતે સીએમ યોગીની હાર થશે. તેમણે યોગીની જીત પર હંમેશા માટે ભારત છોડવાની વાત કરી હતી. આ સાથે જ તેમણે સીએમ યોગીને કહ્યું હતું કે જો તેઓ ઈલેકશન હારે છે તો તેમણે નેપાળ ચાલ્યા જવું જોઈએ. એટલું જ નહી, કેઆરકેએ આજે સવારે 6 કલાક 39 મિનિટ પર ટ્વીટ કરીને સીએમ યોગીને યાદ અપાવ્યું હતું કે આજે તેમનો છેલ્લો દિવસ છે.
કેઆરકે સતત સીએમ યોગીને પરિણામનાં દિવસો ગણાવી રહ્યા હતા. પરંતુ હવે UP ઈલેક્શનનાં રિઝલ્ટ આવવા લાગ્યા છે, તો કેઆરકેએ ટ્વીટ કરીને સીએમ યોગી સહીત પ્રધાનમંત્રી મોદી તથા અમિત શાહને પણ અભિનંદન પાઠવ્યા છે. જ્યાર બાદ ટ્વીટર પર યૂઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.
કેઆરકેએ અભિનંદન આપ્યા તો લોકોએ કહ્યું કે ભવિષ્યવાણીનું શું થયું. કેઆરકેએ લખ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, નરેન્દ્ર મોદીજી, અમિત શાહજીને ઉત્તરપ્રદેશમાં ફરી જીત મેળવવા માટે અભિનંદન. તેમના ટ્વીટ કરતા જ લોકોએ તેમને ઘેરવાના શરુ કર્યા.
એક યૂઝરે લખ્યું કે પરત નહી ફરતા ઇન્ડિયા ક્યારેય. એક બીજા યૂઝરે લખ્યું કે લુટ ગયા રે ફૈઝલ. જણાવી દઈએ કે કેઆરકેએ આ ટ્વીટમાં લખ્યું હતું કે 'ગુડ મોર્નિંગ યોગીજી. કી હાલ બા, આજ આપકા આખિરી દિન હૈ, સોચા યાદ દિલા દુ.
એક યૂઝરે યોગીજીનાં જીતવા પર ભારત છોડવાવાળું ટ્વીટ શેર કરતા લખ્યું કે યાદ છે કે ભૂલી ગયા. કોઈ બીજા યૂઝરે લખ્યું કે હવે આવશો ઇન્ડિયામાં?
આ પ્રકારે કેઆરકે પોતાના ટ્વીટને કારણે ટ્રોલ થઇ રહ્યા છે.