‘શાદી મેં જરૂર આના’ અને ‘હાઉસફુલ 4’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કૃતિ ખરબંદા પુલકિત સમ્રાટને ડેટ કરી રહી હોવાની પુષ્ટિ ખુદ એક્ટ્રેસે એક વાતચીત દરમ્યાન કરી. મીડિયામાં ઘણા દિવસથી આ બંનેના અફેરની ચર્ચા થઇ રહી હતી. જોકે, એક રિપોર્ટ મુજબ, પુલકિતની સાથેના સંબંધને લઈને કૃતિએ કહ્યું, આ અફવા નથી, અમે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છીએ.
કૃતિ ખરબંદા પુલકિત સમ્રાટને ડેટ કરી રહી હોવાની વાત સ્વીકારી
સૌથી પહેલાં જ્હૉન અબ્રાહમને રિલેશન વિશે ખબર હતી
કૃતિએ કહ્યું અમારાં વચ્ચે સારી કેમેસ્ટ્રી છે
સૌથી પહેલાં પેરેન્ટ્સને જણાવવા માગતી હતી
કૃતિએ કહ્યું, ‘ઈમાનદારીથી કહું તો સૌથી પહેલા મારાં પેરેન્ટ્સને કહેવા ઇચ્છતી હતી કે હું કોઈને ડેટ કરી રહી છું. મને લાગે છે કે દરેક વસ્તુનો એક સમય હોય છે જ્યારે તમે એ બાબતે વાત કરવામાં સહજ હોવ છો. ક્યારેક ક્યારેક તેમાં 5 વર્ષ લાગી જાય છે તો ક્યારેક 5 મહિના. અમારા કિસ્સામાં 5 મહિના થયા છે અને હું ઘણી જ ખુશ છું અને મને આ સ્વીકારવામાં કોઈ ખચકાટ નથી કે હું પુલકિત સમ્રાટને ડેટ કરી રહી છું.’
અગાઉ એક ઇન્ટરવ્યૂમાં પુલકિતને ડેટ કરવાના સવાલ પર કૃતિએ કહ્યું હતું, અમે એકબીજા સાથે સરસ લાગીએ છીએ. અમારાં વચ્ચે સારી કેમેસ્ટ્રી છે. કોઈપણ અંદાજો લગાવી શકે છે કે અમે રિલેશનશિપમાં છીએ. પણ જ્હૉન અબ્રાહમ પહેલાં એવા વ્યક્તિ હતા જેઓ અમારી રિલેશનશિપ વિશે જાણતા હતા. આ ઈન્ટરવ્યૂમાં પુલકિત અને જ્હૉન પણ સાથે જ હતા. જોકે, પુલકિતે આ દરમિયાન કૃતિ સાથેના રિલેશનશિપને લઈને કંઈ જ કહ્યું નહીં. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પુલકિત યામી ગૌતમની સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં હતો. પણ આ બંનેનું રિલેશનશિપ લાંબો સમય ટકી શક્યું નહીં.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
'પાગલપંતી'ની વાત કરીએ તો તે મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં પુલકિત અને કૃતિ સહિત અનિલ કપૂર, જ્હૉન અબ્રાહમ, અરશદ વારસી, ઉર્વશી રાઉતેલા અને સૌરભ શુક્લા જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અનીઝ બાઝમી કરી રહ્યા છે. 'પાગલપંતી' 22 નવેમ્બરે રિલીઝ થશે.