— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 30, 2021
ગુજરાત સહિત દેશભરમાં કૃષ્ણજન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. દ્વારકાધીશન દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. નંદ ઘેર આનંદ ભયોના નાદથી સમગ્ર દ્વારાકા નગરી ગુંજી ઉઠી હતી. રાત્રે 12 ના ટકોરે મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય આરતી શરૂ હતી . રંગ બેરંગી લાઇટોથી દ્વારકા શહેર ઝગમગી ઉઠ્યું છે. જન્માષ્ટમી ઉત્સવને લઇ દ્વારિકા નગરીમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો કુષ્ણ ભક્તિમાં ભાવ વિભોર બન્યા છે. વ્હાલા કાન્હાના વધામણા કરવા સમગ્ર દેશભરના કૃષ્ણ મંદરોમાં ધૂમધામ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. ગુજરાતના દ્વારકા ઉપરાંત ડાકોરના ઠાકોરને ત્યાં પણ કૃષ્ણજન્મોત્સવની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી છે. જય કનૈયા લાલ કી, જય હો નંદલાલ કીના નાદ સાથે ડાકોર મંદિર કૃષ્ણ ભક્તિના માહોલમાં રંગાઈ ચૂક્યું છે. શામળાજી મંદિર ખાતે પણ શામળિયાનો મહાઆરતી કરી જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે પણ ભગવાન કૃષ્ણના જન્મને વધાવી લેવામાં આવ્યો છે. મંદિરમાં ભક્તોનો સેલાબ જોવા મળી રહ્યો છે.અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે અમિતશાહે આરતી ઉતારી કૃષ્ણ જન્મની ઉજવણી કરી હતી
તમામ મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણનો મહાભિષેક વેદોના જાપ સાથે શરૂ થયો થઈ ગયો છે. ભગવાન કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીના દિવસે જ થયો હતો, જેને ભગવાન વિષ્ણુનો 8 મો અવતાર માનવામાં આવે છે.
મથુરા અને વૃંદાવનમાં વ્હાલાના વધામણા
મથુરાથી વૃંદાવન સુધી તેઓ જન્માષ્ટમીના રંગોમાં જોવા મળે છે. જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. કેટલાક મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો પણ પહોંચ્યા છે.મથુરામાં ભગવાનના જન્મસ્થળ પર એક અલગ દૃશ્ય દેખાય છે.
#WATCH | Janmashtmi celebrations underway amid music with devotees showering flowers cheering the birth of Lord Krishna at Krishna Janmasthan Temple in Mathura pic.twitter.com/IZOYYuhhTV
વૃંદાવનમાં બાંકે બિહારીની પણ અભિષેક બાદ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. મંદિરોમાં કન્હૈયાનો અભિષેક બાદ 12 ના ટકોરે મહા આરતી પણ શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્હીના બિરલા મંદિર ખાતે વેદોના જાપ સાથે થઈ છે.મથુરામાં ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર ભક્તોનો ધસારો છે. ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા છે. તેઓ ભગવાનની પૂજા અને આરતીમાં ભાગ લઈ રહ્યા છે. મંદિરમાં કોરોના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોઈને પણ માસ્ક વગર મંદિર પરિસરમાં પ્રવેશવાની મંજૂરી નથી. મંદિર પરિસરમાં ભક્તિ સંગીત ગુંજી ઉઠ્યું છે બે વર્ષ બાદ મંદિરોમાં જઈ વ્હાલાના વધામણા કરતાં ભક્તો અનેરો ઉત્સાહ ભક્તોમાં ઉત્સાહ છે.ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કાશ્મીરથી કન્યાકુમારી સુધી જોવા મળતી હતી. દેશ -વિદેશના ભક્તો ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન છે. મંદિરમાં ભગવાનના દર્શન થતાં જ સ્તુતિ ગવાતી હતી. કોરોના સમયગાળા દરમિયાન પણ, જન્મજયંતિ પર નાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકો ભગવાનની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા હતા