જ્યારે પણ મહારભારતની વાત થતી હોય છે ત્યારે પાંડવો અને કૌરવોના પરાક્રમની અને શૂરવીરતાની ચર્ચા થાય છે. જેમ કે ભીમ કર્ણ અર્જુન અને દુર્યોધનની પરંતુ આ બધા શૂરવીર યોદ્ધાઓથી પણ બળવાન એક શૂરવીર હતો જે બધાથી વધારે શક્તિશાળી હતો. જેણે આખું મહાભારતનું યુદ્ધ પોતાના કપાયેલા શીશથી જોયું હતું.
આ યોદ્ધાનું નામ હતું બર્બરિક જેની પાસે એક એવું બાણ હતું કે જેનાથી તે ત્રણ લોકો પર જીત પ્રાપ્ત કરી શકતો હતો. તમને જણાવી દઈએ કે બર્બરિક ઘટોત્કચનો પુત્ર હતો. જેને પોતાની માતા જોડેથી યુદ્ધની બધી કળાઓ શીખી હતી. આ ઉપરાંત બર્બરિકે ભગવાન શિવની તપસ્યા કરી હતી જેથી પ્રસન્ન થઇ ભગવાન શંકરે તેને ત્રણ તીર આપ્યા હતા.
બર્બરિક પણ મહાભારતના યુદ્ધમાં ભાગ લેવા માંગતો હતો પરંતુ તેની માતાએ એક શર્ત રાખી હતી કે પાંડવો અને કૌરવો બંનેમાંથી જે પક્ષ હારતો હોય તે તેની સાથે રહીને યુદ્ધ લડાશે.
ભગવાન શ્રી કૃષ્ણ આ વાત જાણી ચુક્યા હતા અને કૃષ્ણને ખબર હતી કે બર્બરિક કૌરવો તરફથી લડશે તો તરત જ પાંડવ સેનાને હરાવી દેશે કારણ કે માતાની શર્ત પ્રમાણે તે સમયે કૌરવ સેનાએ હારતી હતી જેથી બર્બરિક કૌરવોનો સાથ આપવાનો હતો.
જેથી કૃષ્ણે બ્રાહ્મણ વેશ ધારણ કરી બર્બરિક પાસે જઈ તેનુ શીશ માગ્યું હતું બર્બરિક કૃષ્ણને ઓળખી ગયો હતો જેથી તેની શીશ બર્બરિકે કૃષ્ણને આપી દીધું હતું.
શીશ આપતા પહેલા બર્બરિકે એક શર્ત રાખી હતી કે તે મહાભારતનું યુદ્ધ પોતાની આંખોથી જોવા માંગે છે. અને તે કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન પણ કરવા માંગે છે. કૃષ્ણે બર્બરિકની શર્ત મંજુર કરી અને તેના શિશને એક પહાડ પર મૂકી દીધું જ્યાંથી તેણે આખું મહાભારતનું યુદ્ધ જોયું હતું.