કોમેડિયન કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદા વચ્ચે ઘણા સમયથી તંગ પરિસ્થિતિ ચાલી રહી છે. ઘણો લાંબો સમય વિતી ગયો તેમ છતાં બંને વચ્ચેનો તણાવ પત્યો નથી. થોડા દિવસ પહેલા ધ કપિલ શર્મા શૉમાં ગોવિંદા આવ્યો હતો, જ્યાં સપના બનીને લોકોને હસાવવા આવતા કૃષ્ણા અભિષેક ગેર હાજર રહ્યાં હતા. તે વાત પર કૃષ્ણાએ પ્રતિક્રિયા આપી હતી.
કૃષ્ણા અભિષેકે જણાવ્યું કારણ
શૉમાં ગોવિંદા સામે પફોર્મ ન કર્યુ
કપિલ શર્મા જ લાવી શકે છે સમાધાન
એક ઇન્ટરવ્યૂ દરમિયાન કૃષ્ણાએ કહ્યું કે, મને માત્ર 10 દિવસ પહેલા જ ચીચી મામા શૉ પર આવવાના છે તે વાતની જાણ થઇ હતી. કારણકે આ વખતે શૉમાં સુનિતા મામી નથી આવાના તો મારી ટીમને લાગ્યું કે મને પફોર્મ કરવામાં તકલીફ નહી હોય. ગયા વર્ષે સુનિતા મામી નહોતા ઇચ્છતાં કે હું મામાની સામે પફોર્મ ના કરું, આ વખતે પણ મે નિર્ણય એટલે જ લીધો કે ચીચી મામા સામે હું પફોર્મ નહી કરું.
કૃષ્ણાએ કહ્યું કે હું મામા સાથે સ્ટ્રોંગ રિલેશન શૅર કરુ છુ પરંતુ ઝઘડા બાદ બધુ જ બદલાઇ ગયુ છે. આ વસ્તુઓમાં હુ ખુબ જ હર્ટ થયો છું. જ્યારે સંબંધોમાં તિરાડ પડી હોય ત્યારે કોમેડી કરવી ખુબ અઘરી પડી જાય છે. કૃષ્ણાના કહેવા અનુસાર તેણે ગોવિંદા સાથે સંપર્ક બનાવી રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગોવિંદાએ કોઇ પોઝીટીવ રિસપોન્સ આપ્યો ન હતો.
વધુમાં તેણે કહ્યું કે, હવે માત્ર કપિલ જ આ વિવાદનો અંત લાવી શકે છે, હવે જ્યારે મામા આવે ત્યારે તે મને સ્ટેજ પર બોલાવી લે અને બધી પ્રોબ્લેમ સોલ્વ કરી લે. તમને જણાવી જદઇએ કે કૃષણા અને ગોવિંદા વચ્ચે આ તણાવ 2018થી છે અને હજુ સુધી તેનો અંત આવ્યો નથી.