પૂજા અને ઉપવાસ ઉપરાંત જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે મંત્રોના જાપ કરવાથી બાળ ગોપાલની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ જન્માષ્ટમીના દિવસે કયા મંત્રનો જાપ કરવો જોઈએ.
જન્માષ્ટમી પર રાશિ અનુસાર કરો મંત્રોનો જાપ
બાળ ગોપાળ થશે પ્રસન્ન
જીવનમાં નહીં રહે કોઈ પણ મુશ્કેલીઓ
આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 18 અને 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે. ભગવાન કૃષ્ણના જન્મદિવસને કૃષ્ણ ભક્તો કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવે છે. એવું કહેવાય છે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનો પૃથ્વી પર જન્મ થયો હતો. દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મની ઉજવણી
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવે છે. દેશભરના તમામ પ્રખ્યાત કૃષ્ણ મંદિરો અને ધામોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો. એવામાં કૃષ્ણ ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને કાન્હાની ભક્તિમાં લીન રહે છે અને રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મની ઉજવણી કરે છે.
પૂજા અને ઉપવાસ ઉપરાંત જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે મંત્રોના જાપ કરવાથી બાળ ગોપાલની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ જન્માષ્ટમીના દિવસે કયા મંત્રનો જાપ કરવો જોઈએ.
જાણો રાશિ અનુસાર કયા મંત્રોના જાપ કરવા જોઈએ?
મેષ- મેષ રાશિવાળા લોકોએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે 'ॐ कमलनाथाय नमः' મંત્રનો જાપ કરવો જોઈએ.
વૃષભઃ- આ રાશિના લોકોએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ-અષ્ટકનો પાઠ કરવો જોઈએ.
મિથુનઃ- મિથુન રાશિના જાતકોએ જન્માષ્ટમીના દિવસે 'ॐ गोविन्दाय नमः' મંત્રનો જાપ કરવો જોઈએ.
કર્કઃ- કર્ક રાશિવાળા લોકોએ જન્માષ્ટમીના દિવસે વ્રત રાધાષ્ટક વ્રતનો પાઠ કરવો જોઈએ.
સિંહઃ- સિંહ રાશિના લોકોએ 'ॐ कोटि-सूर्य-समप्रभाय नमः' મંત્રનો જાપ કરવો જોઈએ.
કન્યા - કન્યા રાશિના લોકોએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાનના બાલ-ગોપાલ સ્વરૂપનું સ્મરણ કરવું જોઈએ અને 'ॐ देवकी नंदनाय नमः' મંત્રનો જાપ કરવો જોઈએ.
તુલાઃ- તુલા રાશિના લોકોએ જન્માષ્ટમીના દિવસે 'ॐ लीला-धराय नमः' મંત્રનો જાપ કરવો જોઈએ.
વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ આ દિવસે કૃષ્ણજીના વરાહ સ્વરૂપનું સ્મરણ કરવું જોઈએ અને 'ॐ वराह नमः'નો જાપ કરવો જોઈએ.
ધનુ - ધનુ રાશિના લોકોએ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના 'ॐ जगद्गुरुवे नमः' મંત્રનો જાપ કરવો જોઈએ.
મકર- મકર રાશિના જાતકોએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે 'ॐ पूतना-जीविता हराय नमः' મંત્રનો જાપ કરવો જોઈએ.
કુંભઃ- આ રાશિના લોકોએ જન્માષ્ટમીના દિવસે 'ॐ दयानिधाय नमः' મંત્રનો જાપ કરવો જોઈએ.
મીન- મીન રાશિના જાતકોએ આ દિવસે 'ॐ यशोदा – वत्सलाय नमः' મંત્રનો જાપ કરવો જોઈએ.