જન્માષ્ટમી ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમે આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આ દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો.
આજે ઉજવવામાં આવશે કૃષ્ણ જન્માષ્ટમી
આ વાતોનું રાખો ખાસ ધ્યાન
જાણો શુભ મુહૂર્ત અને પુજા વિધિ
શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીની તિથિને લઈને લોકોના મનમાં ખૂબ વધારે કન્ફ્યૂઝન જોવા મળી રહ્યું છે. અમુક લોકોએ જન્માષ્ટમીનો તહેવાર 18 ઓગસ્ટ 2022એ ઉજવ્યો જ્યારે અમુક લોકો આજે 19 ઓગસ્ટ 2022એ જન્માષ્ટમીનો તહેવાર ઉજવી રહ્યા છે. તો જો તમે પણ આજે જન્માષ્ટમીનો તહેવાર ઉજવી રહ્યા છો તો આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણની પૂજાનું શુભ મુહૂર્ત રોહિણી નક્ષત્ર અને પૂજા વિધિ.
અષ્ટમી તિથિ સમાપ્ત- 19 ઓગસ્ટ, 2022એ રાત્રે 10.59 મિનિટ પર
પારણા પૂજાનો સમય- 20 ઓગસ્ટ, સવારે 12.20થી સવારે 1.05 સુધી
રોહિણી નક્ષત્ર
આ વખતે જન્માષ્ટમીનો તહેવાર રોહિણી નક્ષત્રમાં નથી આવી રહ્યો. 18 અને 19 બન્ને તારીખોમાં રોહિણી નક્ષત્ર નથી બની રહ્યું. આ વર્ષે રોહિણી નક્ષત્ર 20 ઓગસ્ટ 2022એ સવારે 1.53એ શરૂ થશે અને 21 ઓગસ્ટ 2022એ સવારે 4.40 મિનિટ પર પૂર્ણ થશે. જણાવી દઈએ કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમે રોહિણી નક્ષત્રમાં થયો હતો જેના કારણે જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રનું ખૂબ જ મહત્વ છે.
જન્માષ્ટમીની પૂજા વિધિ
જન્માષ્ટમીના દિવસે સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા પહેરી વ્રત કરો. ત્યાર બાદ ભગવાન શ્રી કૃષણને દૂધ અને ગંગાજળથી સ્નાન કરાવો અને સ્વચ્છ રેશમી કપડા પહેરાવો. આજે જન્માષ્ટમીનું પૂજા મુહૂર્ત 10.59 સુધી રહેશે.
આ સમયે બાળ ગોપાલને ઝુલો ઝુલાવવામાં આવશે અને તેમની આરતી કરવામાં આવશે. શ્રી કૃષ્ણને માખણ અને મિશ્રીનો ભોગ લગાવવામાં આવે છે. તમે ઈચ્છો તો ખીર અને પંજીરીનો ભોગ પણ લગાવી શકો છો. ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને આરતી કરો.