આ વખતે જન્માષ્ટમી 18 ઓગષ્ટે મનાવવામાં આવશે. આ દિવસે ધ્રુવ અને વૃદ્ધી યોગનુ નિર્માણ પણ થઇ રહ્યું છે. 18 ઓગષ્ટની રાત્રે 8 વાગ્યેને 42 સુધી વૃદ્ધી યોગ રહેશે. ત્યારબાદ ધ્રુવ યોગ શરૂ થશે. જે 19 ઓગષ્ટે રાત્રે 8 વાગ્યેેને 59 મિનિટ સુધી રહેવાનો છે.
જન્માષ્ટમી ક્યારે છે?
18 કે 19 ઓગષ્ટ? જાણો પંડિત પાસેથી સાચી તારીખ
શ્રદ્ધાળુઓ સંયમપૂર્વક ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરે છે
આ દિવસે મનાવવામાં આવશે જન્માષ્ટમી
હિન્દુ ધર્મમાં આ યોગ ખૂબ ખાસ માનવામાં આવ્યો છે. આ યોગમાં કરવામાં આવેલા કાર્યોનુ પરિણામ શુભ હોય છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં અર્ધરાત્રિએ મથુરામાં થયો હતો. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ રૂપે આ તહેવાર આખા દેશમાં પૂર્ણ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ વ્રત રાખીને નિયમ અને સંયમથી ભગવાનની પૂજા-અર્ચના કરે છે.
જન્માષ્ટમી 2022નુ શુભ મુહૂર્ત
જ્યોતિષાચાર્ય જણાવે છે કે આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી 18 ઓગષ્ટે મનાવવામાં આવશે. અષ્ટમી તિથિ 18 ઓગષ્ટે સાંજે 9 વાગ્યાને 20 મિનિટથી પ્રારંભ થશે અને 19 ઓગષ્ટે રાત્રે 10 વાગ્યાને 59 મિનિટ પર સમાપ્ત થશે. નિશીથ પૂજા 18 ઓગષ્ટની રાત્રે 12 વાગ્યે ત્રણ મિનિટથી લઇને 12 વાગ્યે 47 મિનિટ સુધી રહેશે. નિશીથ પૂજાની કુલ મુદ્દત 44 મિનિટનો રહેશે. પારણા 19 ઓગષ્ટે સવારે 5 વાગ્યાને 52 મિનિટ બાદ હશે.
જ્યોતિષાચાર્યએ આપ્યા પોતાના મંતવ્યો
જ્યોતિષવિદે વધુમાં જણાવ્યું કે આ વર્ષે જન્માષ્ટમી તિથિને લઇને ઘણા મતભેદ છે. કોઈ 18 ઓગષ્ટ તો કોઈ 19 ઓગષ્ટે જન્માષ્ટમી હોવાનો દાવો કરી રહ્યાં છે. અમુક વિદ્વાનોનો મત છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિએ રાત્રે 12 વાગ્યે થયો હતો તો આ યોગ 18 ઓગષ્ટે બની રહ્યો છે. જ્યારે અમુકનુ માનવુ છે કે 19 ઓગષ્ટે આખો દિવસ અષ્ટમી તિથિ રહેશે અને આ તિથિમાં સૂર્યોદય પણ હશે. તેથી જન્માષ્ટમી 19 ઓગષ્ટે મનાવવામાં આવશે. પરંતુ ધાર્મિક દ્રષ્ટીએ જોવામાં આવે તો શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિએ રાત્રે 12 વાગ્યે થયો હતો. તેથી આ તહેવાર 18મી ઓગષ્ટે મનાવવામાં આવશે.