કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે 18 અને 19 ઓગષ્ટે મનાવવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસને કૃષ્ણ ભક્ત કૃષ્ણ જન્માષ્ટમીના રૂપમાં મનાવે છે.
જન્માષ્ટમી આ વર્ષે 18 અને 19 ઓગષ્ટે મનાવવામાં આવશે
ભક્તો ધૂમધામપૂર્વક અને ઉત્સાહ સાથે ઉત્સવ મનાવશે
જન્માષ્ટમીના દિવસે આ મંત્રનો કરો જાપ, થશે લાભ
જન્માષ્ટમીના દિવસે કયા રાશિના જાતકે કયા મંત્રનો જાપ કરવો જોઈએ
કહેવાય છે કે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણએ ધરતી પર જન્મ લીધો હતો. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી ખૂબ ધૂમધામ અને ઉત્સાહની સાથે મનાવવામાં આવશે. આવો જાણીએ જન્માષ્ટમીના દિવસે કઈ રાશિના જાતકે કયો મંત્ર કરવો જોઈએ.
મેષ: આ રાશિના જાતકોએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઓમ કમલનાથાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. વૃષભ: આ રાશિના જાતકોને કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ-અષ્ટકનો પાઠ કરવો જોઈએ. મિથુન: મિથુન રાશિના જાતકોએ જન્માષ્ટમીના દિવસે ઓમ ગોવિન્દાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. કર્ક: કર્ક રાશિના જાતકોને જન્માષ્ટમીના દિવસે વ્રત રાધાષ્ટકનો પાઠ કરવો જોઈએ. સિંહ: સિંહ રાશિના જાતકોને ઓમ કોટિ-સૂર્ય-સમપ્રભાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. કન્યા: કન્યા રાશિના જાતકોએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે પ્રભુના બાળ ગોપાળ રૂપનુ સ્મરણ કરવુ જોઈએ અને ઓમ દેવકી નંદનાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. તુલા: તુલા રાશિના જાતકોને જન્માષ્ટમીના દિવસે ઓમ લીલા ધરાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. વૃશ્વિક: વૃશ્વિક રાશિના જાતકોને આ દિવસે કૃષ્ણજીના વરાહ રૂપનુ સ્મરણ કરવુ જોઈએ અને ઓમ વરાહ નમ:નો જાપ કરવો જોઈએ. ધન: ધન રાશિના જાતકોને જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના ઓમ જગદગુરવે નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. મકર: મકર રાશિના જાતકોને કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઓમ પૂતના જીવિતા હરાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. કુંભ: આ રાશિના જાતકો જન્માષ્ટમીના દિવસે ઓમ દયાનિધાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. મીન: આ રાશિના જાતકોને આ દિવસે ઓમ યશોદા-વત્સલાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ.