ભગવાન વિષ્ણુના આઠમા અવતાર કૃષ્ણનો જન્મ ભારત સહિત દુનિયાભરમાં ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી પર ઠીક એવો જ સંયોગ બની રહ્યો છે જેવો દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણના જન્મ સમયે બન્યો હતો. આ સંયોગના કૃષ્ણ જયંતી યોગ નામથી પણ ઓળખવામાં આવે છે. આવો સંયોગ ઘણા વર્ષોમાં બને છે અને તેનું આધ્યાત્કિ જગતમાં ખૂબ જ મહત્વ છે. એવામાં જન્માષ્ટમીના અવસર પર શ્રીકૃષ્ણ પૂજન અને વ્રત રાખવાનું ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યુ છે. આ અવસર જો તમે વ્રત નહી રાખો તો પુણ્ય લાભ માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
જન્માષ્ટમી 2 સપ્ટેમ્બરે ત્રિપુષ્કર યોગ બન્યો હતો. આ યોગમાં જે પણ શુભ કાર્ય કરાય છે તેનો ત્રણગણો લાભ મળે છે. જો તમે પરનિંદા અથવા તો પોતાના લાભ માટે બીજાના નુકસાન પહોંચાડો છો તો તેનું ત્રણ ગણું પાપ તમારે પણ ભોગવવું પડશે. આથી જન્માષ્ટમી પર પાપ ભેગું થાય એવું કોઇ કાર્ય ન કરો.
જો તમારા ઘરમાં કાનની જૂની મૂર્તિ છે તો જન્માષ્ટમીના દિવસે પણ પૂજા કરો અને તેમને પણ માખણ- મિસરી પ્રસાદ ચઢાવો. કેટલાક લોકો નવી મૂર્તિઓની પૂજા કરે છે અને જૂની મૂર્તિઓને જળમાં પ્રવાહિત કરી નાખ છે અથવા તેમની પૂજા છોડી દે છે તો તે શુભ માનવામાં નથી આવતું.
જન્માષ્ટમીના દિવસે મને શાંત રાખો અને ઇશ્વરનું ધ્યાન રાખો. જન્માષ્ટમીના વ્રતને વ્રતરાજ પણ કહેવાય છે. આ દિવસે ઘરમાં શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાથી લક્ષ્મી માતા પ્રસન્ન કરે છે. જન્માષ્ટમીને સિદ્ઘિની રાત પણ કહેવામાં આવે છે. આ દિવસે અધ્યાત્મ પર ધ્યાન દેવું જોઇએ અને વાદ-વિવાદ અને કકળાટથી દૂર રહેવું જોઇએ.
શાસ્ત્રો અનુસાર જન્માષ્ટમી શિવરાત્રી અને નવરાત્રીના દિવસોમાં સંયમનું પાલન કરવું જોઇએ. આ રાત્રીઓમાં યૌન સંબંધ અને કામ ભાવ પર નિયંત્રણ રાખવું જોઇએ. તેનાથી વ્રત સફળ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.
જન્માષ્ટમીનો તહેવાર વર્ષમાં એકવખત આવે છે અને આ વખતે વિશેષ સંયોગ બને છે. એવામાં આ દિવસને સૂઇ જવામાં વ્યર્થ ના કરો. જન્માષ્ટમીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને શ્રીકૃષ્ણની પૂજા કરો. આ દિવસે ગીતા વિષ્ણુપુરાણ કૃષ્ણલીલાનો પાઠ શુભ ફળદાયી માનવામાં આવે છે.
ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય છે. વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાનને પ્રસાદમાં તુલસીનું પાન અવશ્ય હોવું જોઇએ. તુલસી વિના પાનથી ભગવાનનો પ્રસાદ સ્વીકાર નથી કરતા જો પણ પ્રસાદ અર્પિત કરો તો તેમાં તુલસી જરૂરથી નાખો.
જન્માષ્ટમીના દિવસે જો વ્રત-પૂજન નથી કરતા તો તે દિવસે માસ-મદિરાનું સેવન ટાળવું. જન્માષ્ટમીના દિવસે પૂર્ણ સાત્વિક ભોજન કરવું જોઇએ.