કેરળ વિમાન દુર્ઘટનામા કોઝિકોડ એરપોર્ટ પર બની છે. અહીં એરઈન્ડિયાનું એક વિમાન રન વે પર લપસી ગયું હતું. આ પછી વિમાનના 2 ટુકડા થઈ ગયા હતા. કેરળનું કોઝિકોડ એરપોર્ટ ભૌગોલિક રીતે 'ટેબલટૉપ' છે, જેના કારણે અહીં લેન્ડિંગને ખતરનાક માનવામાં આવે છે.
કેરળ વિમાન દુર્ઘટના
કોઝિકોડ એરપોર્ટની ભૌગોલિક રચના 'ટેબલટૉપ' છે
'ટેબલટૉપ' રચનાના કારણે અહીં લેન્ડિંગ રહે છે જોખમભર્યું
જીડીસીએના આધારે એર ઈન્ડિયા એક્સપ્રેસ AXB1344, બોઈંગ 737 દુબઈથી કાલીકટ આવી રહ્યું હતુ. ભારે વરસાદના કારણે રન વે પર ઉતર્યા બાદ વિમાન લપસી ગયું અને ખાઈમાં જઈને પડ્યું, અહીં વિમાન 2 ભાગમાં તૂટ્યું, વિમાનમાં આ સમયે 190 લોકો સવાર હતા. તેમાં 184 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યા હતા. કુલ યાત્રીમાં 10 બાળકો હતા.
#WATCH केरल: करिपुर हवाई अड्डे के बाहर के दृश्य जहां दुबई-कोझीकोड एयर इंडिया की फ्लाइट (IX-1344) उतरने के दौरान स्किड हो गई थी। pic.twitter.com/WklGBImBLt
આ દુર્ઘટનાનું કારણ ટેબલટૉપ રન વે માનવામાં આવે છે. ભૌગોલિક રીતે કોઝિકોડ એરપોર્ટ ટેબલટૉપ છે, તેનો અર્થ એ છે કે રન વેની આસપાસ અહીં ખાઈ હોય છે. ટેબલટૉપમાં રન વે પૂરો થયા બાદ આગળ જગ્યા હોતી નથી. આ કારણે કોઝિકોડમાં રન વે પર લપસ્યા બાદ વિમાન ખાઈમાં જઈને પડ્યું અને બે ભાગમાં વહેંચાઈ ગયું.
રહે છે વધારે જોખમ
રન વેની બંને તરફ કે એક તરફ ખાઈ હોવાના કારણે ટેબલટૉપ રનવેમાં જોખમ વધારે રહે છે. લેન્ડિંગ અને ટેકઓફ બંને સમયે સાવધાની રાખવાની જરૂર રહે છે. આ સમયે પાયલટની નિપુણતા જ કામ આવે છે, મોટાભાગે ટેબલટૉપ રન વે પઠાર કે પહાડના ટોપ પર બન્યા હોય છે. ભારતમાં કર્ણાટકના મંગલુરુ, કેરળ અને મિઝોરમમાં આ પ્રકારના રન વે છે.
दुबई से कालीकट के लिए एयर इंडिया एक्सप्रेस की फ्लाइट संख्या IX 1344 रनवे पर स्किड कर गई। अधिक जानकारी मिलने पर हम आपको आगे अपडेट करेंगे। हमारे हेल्पलाइन - 056 546 3903, 0543090572, 0543090572, 0543090575 : दुबई स्थित भारत के महावाणिज्य दूतावास pic.twitter.com/Zjqjki9oIn
પૂર્વ ઉડ્ડયન રાજ્યમંત્રી રાજીવ પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે અહીં રન વે લગભગ 9300 ફીટ છે. એક શૂન્ય રન વેથી જોઈએ તો ઉતરવા માટે રન વે લગભગ આઠ-સવા આઠ હજાર ફીટનો છે. એવામાં વરસાદની સીઝનમાં રન વે ભીનો હોય છે તો જે બ્રેકિંગ કરવામાં આવે છે કે હાઈએસ્ટ બ્રેકિંગ હોય છે.