જસદણમાં પેટાચૂંટણીની મતગણતરી આજરોજ વહેલી સવારથી શરૂ થઈ ગઈ હતી. 14 જેટલા ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 19 રાઉન્ડને અંતે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર કુંવરજી બાવળિયાની જીત થઇ હતી. કુંવરજી બાવળિયાની જીત થતાં સ્થાનિક ભાજપી કાર્યકરોએ ફટાકડા ફોડીને વિજયોત્સવની ઉજવણી કરી હતી.
આ સાથે જ આ વિજયોત્સવની ઉજવણીમાં ભાજપના કાર્યકરોએ શાનદાર રીતે કરી હતી. તો આ તરફ ભાજપના સત્તાવાર કાર્યાલય કમલમ ખાતે પણ વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ કુંવરજી પોતાની મહેનતથી જીત મેળવી રહ્યાં છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આપને જણાવી દઇએ કે ભાજપને આ જીત માત્ર વ્યક્તિ વિષેશતાને કારણે મળી છે. કુંવરજી બાવળિયા 1995 1998 2002 2007 અને 2017માં એમ કુલ 5 વખત સતત આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. જેનો શ્રેય ભાજપને આજે મળ્યો છે. પક્ષ બદલ્યો હોવા છતા. પ્રતિષ્ઠા બાવળિયાની ઝડવાઈ રહી હોવાનું આ પરિણામ આજે સામે આવ્યું છે. સ્થાનિક જનતાએ કુંવરજી બાવળિયાની લાંબી રાજનીતિ પર વિશ્વાસ કર્યો છે.