અમદાવાદના કોટેશ્વર નજીક મૂર્તિ વિસર્જન દરમિયાન ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા. આ મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના કોટેશ્વર પાસે ડૂબતા 3 યુવકોના મોત
મૂર્તિ વિસર્જન કરતી વખતે ડૂબ્યા યુવકો
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ
અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના બની છે. હૈયુ હચમચાવતી આ ઘટનામા મૂર્તિ વિસર્જન વેળાએ 3 યુવકો નદીના જળપ્રવાહમા ડૂબ્યાં હતા. જે ઊંડા પાણીમા ગરક થઇ જતાં ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે જાણ થતાં સ્થાનીક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનાને લઇને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગઈકાલે પશ્ચિમ બંગાળમા સર્જાઇ હતી દુર્ઘટના
ઉલ્લેખનિય છે કે ગઇકાલે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન દુર્ઘટના ઘટી હતી. જેમા મૂર્તિ વિસર્જન વેળાએ નદીમા એકાએક પૂર આવ્યું હતુ. જેને લઇને સાતથી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. ઘણા લોકો લાપતા પણ બન્યા હતા. આ કોઈ પહેલી ઘટના નથી કે મૂર્તિ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળૂઓના મોત થયા હોય, આ બનાવ ગઇકાલે રાત્રે 9 વાગ્યે બન્યો હોવાના સમાચાર છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો નદીમા ઉતર્યા હતા ત્યારે અચાનક જ નદીના જળસ્તરમાં વધારો થયો હતો. અને લોકો નદીના ઉફાનમાં વચ્ચે ફસાઈ તણાઇ ગયા હતા.