કોટક મહિન્દ્રાએ જાહેરાત કરી છે કે જો તેમના કર્મચારીનું કોરોનાથી નિધન થશે તો કંપની પરિવારને 2 વર્ષ સુધીની સેલેરી આપશે.
કોટક મહિન્દ્રાએ કરી કોરોના મહામારીમાં મોટી જાહેરાત
કર્મચારીઓનું કોરોનાથી થશે નિધન તો મળશે પરિવારને લાભ
કંપની પરિવારને 2 વર્ષ સુધીની સેલેરી આપશે
કોરોના વાયરસથી અનેક લોકોના મોત થઈ રહ્યા છે અને તેમના પરિવારને મુશ્કેલી આવી રહી છે ત્યારે અનેક કોર્પોરેટ કંપનીઓના કર્મચારીઓને કંપની તરફથી પરિવારની મદદ માટે કર્મચારીની સેલેરી થોડા સમય સુધી સહાય રૂપે આપવાની જાહેરાત કરાઈ છે. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, રિલાયન્સ ગ્રૂપ બાદ હવે કોટક મહિન્દ્રાએ પણ કોરોનાના કારણે જીવ ખોવનારા કર્મચારીના પરિવારને મદદરૂપ થવાની જાહેરાત કરી છે.
આ લોકોને મળશે લાભ
કોટક મહિન્દ્રા કંપનીએ પોતાના 73000 કર્મચારી માટે કોવિડ પરોપકારી નીતી જાહેર કરી છે. તેના આધારે 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2022માં કોરોનાથી જીવ ખોવનારા કર્મચારીના પરિવારને કંપની 2 વર્ષ સુધી કર્મચારીની થેલ્લી સેલેરીની રકમ એટલે કે ફૂલ સેલેરી (CTC) આપશે.
અન્ય બીમારીથી જીવ ખોવનારાને પણ મળશે સેલેરી
કોરોનાથી જીવ ગુમાવનારા કંપનીના કર્મચારીના પરિવારને જૂન 2021થી આવનારા 2 વર્ષ સુધી સંપૂર્ણ સેલેરી મળશે. કંપની 2 વર્ષ સુધી ફૂલ સેલેરી કોરોનાથી જીવ ગુમાવનારા કર્મચારીના પરિવારને આપશે. આ સિવાય અન્ય કોઈ બીમારીથી કર્મચારીનું મોત થશે તો પણ કર્મચારીના પરિવારને 2 વર્ષ સુધી પૂરી સેલેરી આપવામાં આવશે.
શું કહ્યું કંપનીએ
કોટક મહિન્દ્રાએ કહ્યું કે જે કર્મચારીના મૃત્યુ થયા છે તેમના પરિવારને FY21નું બોનસ પણ મળશે અને કર્મચારીની પત્ની અને તેના સગીર બાળકો નાણાકીય વર્ષ 2021-22માં કંપનીની હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસીનો લાભ લઈ શકાશે. આ સાથે કંપનીએ પોતાના કર્મચારીઓને સારવાર માટે અનેક સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. કંપની કર્મચારીઓને અને તેના પરિવારજનોને કોરોના વેક્સિન પણ લગાવડાવશે.