રાજસ્થાનના કોટમાં બાળકોના મોતનો સિલસિલો રોકાઈ રહ્યું નથી. જેકે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો વધીને રવિવારે 110 સુધી પહોંચી ગયો છે.
કોટામાં વધ્યો બાળકોના મોતનો આંકડો
રવિવારે બાળકોના મોતનો આંક 110 સુધી પહોંચ્યો
રાજસ્થાન સરકાર પર પ્રશ્નો
રાજસ્થાનના કોટમાં બાળકોના મોતનો સિલસિલો રોકાવવાનું નામ લઈ રહ્યો નથી. જેકે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો 110ને પાર પહોંચ્યો છે.
શા માટે થઈ રહ્યા છે મોત
હોસ્પિટલમાં 100થી વધારે બાળકોના મોત બાદ સરકારે તપાસ પેનલની રચના કરી હતી. વિશેષજ્ઞોની ટીમે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે હાઈપોથેમિયાના કારણે બાળકોના મોત થયા છે. હોસ્પિટલમાં સામાન્ય સુવિધાઓની ખામી પણ તેનું કારણ હોઈ શકે છે. રાજસ્થાન સરકાર દ્વારા બાળકોના મોતના કારણની તપાસ કરવામાં આવી છે જેનું કારણ હાઈપોથેમિયા જાણવા મળ્યું છે.
શું હોય છે હાઈપોથેમિયા
હાઈપોથેમિયા એક એવી સ્થિતિ છે જેમાં શરીરનું તાપમાન 95 ફેરનહીટ (35 ડિગ્રી સેલ્સિયસ)થી ઓછું થાય છે. આમ તો શરીરનું સામાન્ય તાપમાન 98.6 ફેરનહીટ હોય તે જરૂરી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે હોસ્પિટલમાં બાળકો ઠંડીના કારણે મૃત્યુ પામે છે. અહીં જીવન રક્ષક ઉપકરણ પણ પૂરતા પ્રમાણમાં હોતા નથી. નવજાત શિશુઓના શરીરનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ રહેવું જરૂરી છે. તે માટે તેમને વાર્મરો પર રાખવામાં આવે છે. અહીં તેમનું તાપમાન સામાન્ય રહે છે. હોસ્પિટલમાં કામ કરી રહેલા વાર્મરોની અછત છે અને બાળકોના શરીરના તાપમાનમાં ઘટાડો થાય છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે 28માંથી 22 નેબ્યુલાઈઝર દુષ્ક્રિયાશીલ મળ્યા. અહીં 111માંથી 81 જલસેક પંપ કામ નથી કરતા. પેરા મોનિટર અને પલ્સ ઓક્સીમેટર્સની સ્થિતિ પણ ગંભીર હતી.