1990માં એક ખાલી પડેલ રૂમમાં તેઓએ કચોરીની દુકાન શરૂ કરી હતી. તે સમયે રાજ્યમાં જ્યોતિ બસુની ગરીબોની સરકાર સત્તામાં હતી. તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના ન હોતી થઇ અને તે સમયે મમતા બેનર્જી ભારતીય યુવા કોંગ્રેસની એક નેતા હતી. તે સમયનાં બજારનાં હિસાબથી એક કચોરીની કિંમત 50 પૈસા રહેતી. આ વિસ્તારમાં ઘણી બધી શાળાઓ પણ આવેલ છે.
આપ સૌ કચોરી ખાવા માટે સામાન્ય તો 10 રૂપિયા અથવા તો તેનાંથી થોડાંક વધારે રૂપિયા ચૂકવતા હશો. પરંતુ કોલકાતામાં 29 વર્ષોથી એક દુકાનમાં કોઇ જ ફેરફાર નથી થયો. અહીં એક દુકાનમાં એક કચોરીની કિંમત માત્ર 50 પૈસા છે અને એક રૂપિયામાં આપને તેલભાજી મળશે. આ દુકાન કોલકાતા જિલ્લાનાં મનિકલતાનાં મુરારીપુકુરમાં છે. જેને લોક્ખિનારાયણ ઘોષ ચલાવે છે. 50 વર્ષનાં ઘોષ મંગળ અથવા મંગળા નામથી પ્રખ્યાત છે.
1990માં એક ખાલી પડેલ રૂમમાં તેઓએ કચોરીની દુકાન શરૂ કરી હતી. તે સમયે રાજ્યમાં જ્યોતિ બસુની ગરીબોની સરકાર સત્તામાં હતી. તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના ન હોતી થઇ અને તે સમયે મમતા બેનર્જી ભારતીય યુવા કોંગ્રેસની એક નેતા હતી. તે સમયનાં બજારનાં હિસાબથી એક કચોરીની કિંમત 50 પૈસા રહેતી. આ વિસ્તારમાં ઘણી બધી શાળાઓ પણ આવેલ છે.
લંચ બ્રેક અને સ્કૂલની છુટ્ટી થવાં પર વિદ્યાર્થીઓની દુકાનમાં ભીડ રહેતી હતી. મંગલબાબુએ તેમની માટે પોતાની કચોરીઓનાં ભાવને અડધા એટલે કે 25 પૈસા કરી દીધી હતી. જો આપ સ્કૂલનો ડ્રેસ પહેરીનો આવો છો તો આપે 25 પૈસામાં કચોરી મળી જશે. સાંજનાં પેયાજી, અલૂર ચોપ, મોચાર ચોપ, ઢોકર ચોપ અને બેગુની (તમામ એક જ જેવાં પકોડા) બનાવવામાં આવે છે.
તે સમયથી બજારનાં ભાવને અનુસાર મંગલબાબુ આ તેલભાજી એક રૂપિયામાં વેચ્યાં કરતા હતાં. લગભગ ત્રણ દશક ગુજરી ચૂકેલ છે પરંતુ તેમનું રેટ લિસ્ટ આજે પણ એ જ છે. જ્યારે મંગલબાબુની આવક માટેનું એક માત્ર સાધન માત્ર આ દુકાન જ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ એટલી ઓછી કિંમત પર ચીજો વેચીને પોતાનું ઘર કેવી રીતે ચલાવી શકે છે? આનાં જવાબમાં તેઓએ કહ્યું કે, અમને થોડીક પરેશાની થાય છે પરંતુ અમે કોઇ પણ રીતે ઘર ચલાવી લઇએ છીએ.
મંગલબાબુએ કહ્યું કે, 'જ્યારે મેં દુકાન ખોલી હતી તે સમયે બટાટાની કિંમત 50 પૈસા પ્રતિ કિલો રહેતી હતી. હવે આની કિંમત 15-20 રૂપિયા કિલો છે. જો હું હજી સુધી વગર કિંમત વધારે સફળ રહ્યો છું તો હું પણ કિંમત નહીં વધારું.' તેઓએ કહ્યું કે, 'દુકાન પડોશમાં છે. દરેક કોઇ લાંબા સમયથી અહીં ખાવા આવી રહ્યાં છે. બાળકોની ભીડ પણ એટલી જ હોય છે. આ મને ખૂબ જ સંતોષ આપે છે. જો હું કિંમત વધારીશ તો લોકો પણ નિરાશ થઇ જશે. મેં કચોરીઓનો આકાર થોડોક નાનો કરી દીધો છે. તેલભાજી પહેલાંની જેમ જ યથાવત છે.'