પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપ વચ્ચે કોઈ પ્રકારનો સુમેળ દેખાતો નથી. પ્રધાનમંત્રી મોદીએ ચિઠ્ઠી લખીને મમતા બેનરજીને 15 જૂને થનારી નીતિ આયોગની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. પરંતુ મમતાએ બેઠકમાઁ જવાનો ઈનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપ વચ્ચે કોઈ સમાધાનની આશા દેખાઈ રહી નથી. ભાજપ અને તુણમુલ કોંગ્રેસ વચ્ચે વિવાદ ચરમસીમાએ છે. જયશ્રી રામ નારાના બાદ હવે નીતિ આયોગનો મમતાએ બિહષ્કાર કરતા વિવાદ થયો છે.
આ વિશે મમતાએ જવાબ આપ્યો કે, નીતિ આયોગ પાસે કોઈ નાણાકિય અધિકાર નથી. તે ઉપરાંત આયોગ પાસે રાજ્યની યોજનાઓને સમર્થન આપવાનો પણ અધિકાર નથી. તેથી મારું આ બેઠકમાં આવવું નકામું છે. પ્રધાનમંત્રીએ નીતિ આયોગના પુન: રચના કરી છે.
રાજીવ કુમાર આયોગના ઉપાધ્યક્ષ રહેશે. તે સિવાય વિકે સારસ્વત, વીકે પોલ અને રમેશ ચંદ્રને ફરી સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહને કાર્યકારી સભ્ય બનાવવામાં આવ્યા છે. શાહ સિવાય રાજનાથસિંહ, નાણાપ્રધાન નિર્મલા સીતારમન, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તો મર કાર્યકારી સભ્ય તરીકે સામેલ છે. યોજના આયોગના સ્થાને 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગની રચના કરવામાં આવી હતી.
મમતાએ પોતાનું કમિટીમાં કોઈ કામ અને મહત્વ ન હોવાનું કારણ આગળ કર્યું છે. સાથે એવું પણ લખ્યું છે કે, દુર્ભાગ્યથી કોઈ પણ સર્વે અને નાણાકિય અધિકારોના યોજના પંચની જગ્યાએ 2015માં નીતિ આયોગની રચના કરવામાં આવી હતી. આ નવા આયોગમાં રાજ્યની વાર્ષિક યોજનાઓને સમર્થન આપવા સંબંધિત અધિકારોનો અભાવ છે. નીતિ આયોગ સાથેનો મારે છેલ્લા 4 વર્ષનો અનુભવ છે. તે રાજ્યોની યોજનાઓ માટે નિરાધાર છે.