હલ્દીરામ ભુજિયાવાલાના માલિક મહેશ અગ્રવાલનું નિધન 4 એપ્રિલે સિંગાપુરમાં થયું હતું. 57મા જન્મદિવસના 1 દિવસ પહેલાં જ તેમનું નિધન થયું, મહેશ અગ્રવાલનો પરિવાર કારોબાર સંભાળતો હતો. કંપનીને આ જગ્યાએ પહોંચાડવામાં મહેશ અગ્રવાલનું મોટું યોગદાન છે.
હલ્દીરામ ભુજિયાવાલાના માલિકનું નિધન
મહેશ અગ્રવાલનું જન્મદિવસના 1 દિવસ પહેલાં થયું નિધન
કંપનીના વિસ્તારમાં હતું મોટું યોગદાન
જ્યારે હલ્દીરામની વાત આવે તો અગ્રવાલ પરિવારની મહેનત સામે આવી જ જાય. 1937માં નાની દુકાનથી શરૂ થયેલી આ સફર આજે એક કંપની બની ગઈ છે. દુકાનમાં તેઓ મીઠાઈ અને નમકીન વેચતા હતા. મહેશભાઈના પિતાએ તનસુખદાસ દ્વારા આ ભુજિયા સેવનો વ્યાપાર શરૂ કરાયો હતો.
કોલકત્તામાં આ રીતે શરૂ કર્યો વેપાર
ગંગાવિશ અગ્રવાલના પૌત્ર મહેશ અગ્રવાલ. મહેશ અગ્રવાલના પિતા રામેશ્વર અગ્રવાલ હતા. પિતા રામેશ્વરને કારોબાર વધારવાનો તમામ શ્રેય જાય છે. તેઓએ 1970માં કોલકત્તામાં મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી હતી. રામેશ્વરે વ્યાપારને આગળ વધાર્યો અને કોલકત્તામાં હલ્દીરામ ભુજિયાવાલાના નામે દુકાન શરૂ કરી. પિતાના કારોબારને મહેશ અગ્રવાલ આગળ વધારી રહ્યા હતા. કોલકત્તામાં હલ્દીરામ ભુજિયાવાલાના ઓનર મહેશ અગ્રવાલ હતા.
કંપનીનો વિસ્તાર
હલ્દીરામ કંપની નાગપુરમાં લગભગ 100 એકરમાં ફેલાયેલી છે. આ સિવાય બિકાનેર, કોલકત્તા અને દિલ્હીમાં કંપનીનો મોટો કારોબાર છે. અગ્રવાલ પરિવારે 1883મામં કંપનીના કારોબારને દિલ્હીમાં વિસ્તાર્યો હતો. ત્યારબાદ અગ્રવાલ પરિવારે 1985માં હલ્દીરામ કંપનીને દેશ દુનિયામાં વિસ્તાર આપવા રોડમેપ તૈયાર કર્યો, મહેનત રંગ લાવી અને કંપનીને 1990માં એક અલગ ઓળખ મળી. પ્રોડક્ટસની મામંગ દુનિયાભરમાં થવા લાગી. હાલના સમયમાં દુનિયાભરમાં હલ્દીરામ પ્રોડક્ટ્સની ઘણી ડિમાન્ડ છે. કંપનીએ તેની ટ્રેડિશનલ ભુજિયા સેવથી ખાસ ઓળખ મેળવી છે અને હલ્દીરામ ભુજિયાની પણ સૌથી વધારે માંગ છે.
હાલમાં આટલી પ્રોડક્ટનું બજાર છે હલ્દીરામનું
હલ્દીરામના લગભગ 400 પ્રોડક્ટસ બજારમાં મળે છે. વર્ષ 2018મામં હલ્દીરામે રેવન્યુમાં 13 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે 4000 કરોડના આંકને પાર કરી ચૂક્યું હતું. હલ્દીરામની ભુજિયા સેવ, સોન પાપડી, નમકીન, સ્નેક્સનો સ્વાદ દરેકને યાદ છે.