વાવાઝોડુ બુલબુલે શનિવારે રાત્રે બંગાળમાં પ્રવેશ કર્યો અને રવિવારે નવ જિલ્લામાં તાંડવ મચાવ્યું છે. તેજ હવાઓ અને ભારે વરસાદે કિનારાના જિલ્લાઓમાં જનજીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યું. વાવાઝોડા બુલબુલને પગલે રાજ્યભરમાં કુલ દસ લોકોના મોત થઇ ચૂક્યા છે.
વાવાઝોડુ બુલબુલે તેજ હવાઓ અને ભારે વરસાદથી બંગાળમાં જનજીવન પ્રભાવિત
વાવાઝોડા બુલબુલને પગલે રાજ્યભરમાં કુલ 10 લોકોના મોત
વાવાઝોડાને પગલે 9 જિલ્લામાં લગભગ ત્રણ લાખ લોકો પ્રભાવિત
વાવાઝોડાનો સૌથી વધારે પ્રભાવ બકખાલી, ફ્રેજરગંજ, સંદેશખાલી, ઝડખાલી, નંદીગ્રામ, નયાચર અને ખેજૂરી વિસ્તારોમાં જોવા મળ્યો. વાવાઝોડા બુલબુલને પગલે રાજ્યભરમાં કુલ દસ લોકોના મોત થઇ ચૂક્યા છે. માત્ર ઉત્તર 24 પરગનાના બશીરહાટમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે એક યુવકની મોત શનિવારે રાત્રે થઇ હતી. સંદેશખાલી અને હગલગંજમાં ઝાડ પડવાથી દબાઇ જવાથી બે મહિલાઓના મોત થયા છે.
વાવાઝોડાને પગલે 9 જિલ્લામાં લગભગ ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા છે. હજારો ઝાડ અને મકાનોને ક્ષતિ પહોંચી છે. એકલા બશીરહાટમાં 13 હજાર મકાન ક્ષતિગ્રસ્ત થયા છે. રવિવારે ડ્રોનની મદદથી ક્ષતિગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કરવામાં આવ્યું. વાવાઝોડાના કારણે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર બંગાળની પોતાની યાત્રા રદ્દ કરી દીધી. તે સોમવારે નામખાના અને બકકાલીની આસપાસ પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કરશે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટ કર્યું, ગંભીર વાવાઝોડા બુલબુલને કારણે મેં આગામી સપ્તાહમાં ઉત્તર બંગાળની પોતાની યાત્રા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. તેના બદલે હું નામખાના અને બકખાલીની આસપાસ પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કરીશ.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફોન કરી બુલબુલથી થયેલ ખુવારીની જાણકારી મેળવી અને આપાત સ્થિતિમાં રાજ્યને સંભવ તમામ મદદ કરવા આશ્વાસન આપ્યું છે.
વાવાઝોડાને કારણે થયેલ ખુવારીને લઇને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. રવિવારે રાજ્ય સરકારે કેન્દ્રને બતાવ્યું કે બુલબુલ વાવાઝોડાને પગલે બંગાળના નવ જીલ્લાઓમાં કુલ 3 લાખ લોકો પ્રભાવિત થયા છે.
મુખ્ય સચિવ રાજીવ સિન્હાએ નવ જિલ્લાના જિલ્લાધિકારીઓને બુલબુલ વાવાઝોડાથી ખુવારી અંગે રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યો છે. મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમઓને વાત કરી અને સ્થિતિ અંગે જાણકારી આપી.
નોંધનીય છે કે, તેજ વાવાઝોડાથી ઝાડ પડ્યા બાદ હટાવવા માટે કોલકત્તા નગર નિગમ, પોલીસ અને એનડીઆરએફ ઉપરાંત જિલ્લા તંત્ર સવારથી લાગ્યું. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી જાવેદ ખાને કહ્યું કે ઉખડી ચુકેલા ઝાડને જલ્દી જ હટાવવા માટે આપાત સેવાઓ કામ કરી રહી છે.