પશ્ચિમ બંગાળમાં હિંસા બંધ થવાનું નામ નથી લઇ રહી. હવે એક નવા મામલામાં બે દિવસથી ગાયબ બીજેપી કાર્યકર્તાનો મૃતદેહ મળી આવી છે. જે બાદ પ.બંગાળમાં તણાવ વધી ગયો છે. પં.બંગાળમાં હિંસાને લઇને પહેલાથી જ સત્તારૂઢ ટીએમસી અને બીજેપી આમને-સામને છે. હવે વધુ એક બીજેપી કાર્યકર્તાનો મૃતદેહ મળી આવ્યા બાદ તણાવ વધતો નજરે પડી રહ્યો છે.
પ.બંગાળમાં બુધવારે ભારતીય જનતા પાર્ટી લાલ બજારમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ માર્ચ કાઢી રહી છે. બીજેપી કાર્યકર્તાઓની હત્યા વિરુદ્ધ પાર્ટીએ કોલકત્તાના લાલ બજાર વિસ્તારમાં સ્થિત પોલીસ મુખ્યાલયનો ઘેરાવ કર્યો. આ તરફ પ્રદર્શન કરી રહેલા બીજેપી કાર્યકર્તાઓ પર પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ સામલે હતી. પોલીસ મુખ્યાલય સામે બીજેપીનો ઝંડો લહેરાવી રહેલી 5 મહિલાઓને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. બીજેપીને રેલીને લઇને સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
આપને જણાવીએ કે, પ્રદેશમાં હિંસાને લઇને બીજેપી કાર્યકર્તાઓ રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા મંગળવારે પ.બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં કાંકીનારામાં બોમ્બ વિસ્ફોટમાં 2 લોકોની મોત થઇ ગઇ હતી. જ્યારે 4 લોકો ઘાયલ થઇ ગયા. લોકસભા ચૂંટણી બાદ ટીએમસી અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ થઇ રહ્યું છે. ઉત્તર 24 પરગનામાં હિંસાના મામલાએ આ વિવાદને હવા આપવાનું કાર્ય કર્યું છે.
#WATCH: Kolkata police baton charge at BJP workers on Bepin Behari Ganguly Street. They were marching towards Lal Bazar protesting against TMC govt. #WestBengalpic.twitter.com/RxIGPSqBGd
આ પહેલા એક આરએસએસ અને એક બીજેપીના કાર્યકર્તાઓના ઝાડ પર લટકતા મૃતદેહ મળી આવવાથી હડકંપ મચી ગયો હતો. સોમવારે હાવડાના આમટા સ્થિત સરપોટા ગાંમમાં બીજેપીના કાર્યકર્તા સમાતુલ દોલુઇનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. દોલૂઇના પરિવાર અને બીજેપી નેતાઓેએ આ ઘટના પાછળ ટીએમસી કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું હતું.
પીએમ અને ગૃહ મંત્રીને મળ્યા રાજ્યપાલ
પશ્ચિમ બંગાળમાં રાજનૈતિક હિંસક ઘટનાઓને લઇને રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે ગત સોમવારે મુલાકાત કરી હતી. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ગૃહમંત્રીને પ.બંગાળની સ્થિતિથી અવગત કરાવ્યા છે.