ગઇકાલે રાત્રે પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં આગ લાગતા ફાયરવિભાગના કર્મચારીઓ સહિત કુલ 9 લોકોના મોત થયા છે.
બંગાળની રાજધાની કોલકાતામાં લાગી આગ
કોલકાતાની ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગમાં લાગી આગ
9 લોકોના મોત, CM મમતા બેનરજીએ સહાયની કરી જાહેરાત
કોલકાતાના સ્ટ્રેન્ડ રોડ સ્થિત ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગના 17માં માળે ભીષણ આગ લાગવાથી હડકંપ મચી ગયો. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 9 સુધી પહોંચી ચૂકી છે. જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ આગ એટલી ભયાનક હતી કે મોડી રાત્રે મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અગ્નિકાંડ મૃત્યુ પામનારાઓના પરિવારજનોને 2-2 લાખના વળતરની પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી છે.
PM @narendramodi has approved an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who have lost their lives due to the tragic fire in Kolkata. Rs. 50,000 would be given to those seriously injured.
ફાયર અને ઇમરજન્સી સર્વિસ મંત્રી સુજીતત બાસુના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામનારાઓમાં 4 ફાયર ફાઇટર હતા. એક આસિસ્ટેન્ડ સબ ઇન્સ્પેક્ટર પણ હતા જેઓ દરેક સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. 2 RPFના જવાન હતા.
ફાયર વિભાગના કર્મચારીઓએ યુદ્ધના ધોરણ કરી હતી બચાવ કામગીરી
મહત્વનું છે કે ગઇકાલે તાબડતોબ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયર કર્મચારીઓએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તો મમતા સરકારના કેટલાક મંત્રીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
West Bengal: Fire breaks out on the 13th floor of a multi- storey building at Strand road in Kolkata. 8 fire tenders reach the spot. More details awaited pic.twitter.com/DLzrmBZDkF
મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા વળતરની મમતા બેનર્જીએ કરી જાહેરાત
માહિતી અનુસાર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એક બિલ્ડિંગના 13 મા માળમાં ભારે આગ લાગી હતી. તેમાં 9 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં ફાયરના 4 જવાનોનો સમાવેશ પણ થાય છે. ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દરેક મૃતકોના પરિવાર માટે 10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
આગ ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગમાં લાગી હતી
સૂત્રોના અહેવાલ અનુસાર આ આગ ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગમાં લાગી હતી. મૃતકોમાં એક પોલીસ અધિકારી અને રેલ્વે સુરક્ષા દળના જવાનોનો પણ સમાવેશ થાય છે. આ ઇમારત કોલકાતાના સ્ટ્રાન્ડ રોડ પર છે. બિલ્ડિંગની એલિવેટર પર સાતમાંથી પાંચ લાશો મળી અને આગને કાબૂમાં લેવા ઓછામાં ઓછા 25 ફાયર એંજીન લગાવાયા હતા.
Seven casualties reported so far in the incident of fire in Kolkata: Sujit Bose, MIC Fire and Emergency Services, Government of West Bengal
માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયર કર્મચારીઓએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. કેટલાક મંત્રીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. બંગાળ સરકારના પ્રધાન ફિરહદ હકીમ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પશ્ચિમ બંગાળ સરકારમાં ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસના વડા સુજિત બોઝે જણાવ્યું હતું કે આગ 13માં માળે લાગી હતી, અને સાંકડી જગ્યા હોવાને કારણે બિલ્ડિંગના તે માળે સીડી લઈ જવી મુશ્કેલ હતી. જો કે આગની વચ્ચે ફાયર ફાઇટરો પણ ઘેરાયેલા હતા આ મુદ્દે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.