પાટીદાર સમાજ બાદ હવે કોળી સમાજમાં આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા માટેની માંગ ઉઠી છે.
કોળી સમાજના લોકો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ
કોંગ્રેસ કોળી સમાજના ધારાસભ્ય CMને રજુઆત કરવા પહોંચ્યા
પૂંજાભાઈ વંશ, વિમલ ચુડાસમા, ઋત્વિક મકવાણા કરી રજૂઆત
પાટીદાર સમાજ બાદ હવે કોળી સમાજે પણ આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા માટેની માંગ ઉઠી છે. કોંગ્રેસ કોળી સમાજના ધારાસભ્યો પૂંજાભાઈ વંશ, વિમલ ચુડાસમા, ઋત્વિક મકવાણા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કેસો પરત ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે.
ગીર સોમનાથમાં તળાવ, સાણંદમાં નર્મદા પાણી, અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપી સામે આંદોલન સમયના કેસો પરત ખેંચવા માંગ કરવામાં આવી છે. સાથે જ LRD આંદોલન સમયે કોળી સમાજના યુવાનો પર થયેલા કેસો પણ પરત ખેંચવા માટે માંગણી કરી છે.
કોળી સમાજ સામે ક્યાં ક્યાં કેસ નોંધાયા ?
- કોળી સમાજ સામે સાણંદ નર્મદાના પાણી આંદોલનનો કેસ
- સાણંદમાં ખેડૂતોએ રેલી કાઢી ગાંધીનગર સુધી કૂચ કરી હતી
- રેલી ગાંધીનગર પહોંચે તે પહેલાં પોલીસ અને ખેડૂત વચ્ચે ઝપાઝપી થઈ હતી
- ઝપાઝપી મુદ્દે કોળી સમાજના ખેડૂતો સામે કેસ થયા હતા
- ગાંધીનગરમાં LRD આંદોલનમાં કોળી સમાજના યુવાનો ઘરણા પર બેઠા હતા
- કોળી યુવક-યુવતી સામે પોલીસે કેસ દાખલ કર્યા હતા
- ભાવનગરમાં અલ્ટ્રાટેક કંપની સામે ખેડૂતોએ આંદોલન કર્યું હતું
- આ આંદોલનમાં કોળી સમાજના ખેડૂતોની સંખ્યા મોટી હતી
- કંપનીએ રાજુલાના ખેડૂતો સામે કેસ કર્યા હતા
- ગીર સોમનાથમાં પછવી ગામમાં તળાવ બાબતે ઘર્ષણ થયું હતું
- પીછવીમાં કોળી સમાજની વસ્તી મોટી સંખ્યામાં છે
- પીછવીમાં પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી
કોળી સમાજ બાદ રાજપૂત કરણી સેના પણ આવ્યું મેદાનમાં
કોળી સમાજના ધારાસભ્યો બાદ રાજકોટમાં રાજપૂત કરણી સેનાએ પણ કરણી સેનાના કેસો પરત ખેંચવાની માંગ કરી હતી. આ અંગે રાજકોટ રાજપૂત કરણી સેનાના પ્રમુખે જણાવ્ચું હતું કે, પદ્માવત ફિલ્મ સમયે થયેલા આંદોલનના કેસો પરત ખેંચવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે માંગ કરી હતી.