દુનિયામાં ઘણા લોકો એવા હોય છે, જે કોઈ સમસ્યાને ઉજાગર કરવા માટે પોતાની કોઈ સ્પેશિયલ ઈવેન્ટને જ માધ્યમ બનાવે છે, જેનાથી સમસ્યા તરફ સમાજનુ ધ્યાન જાય. હાલમાં આવા એક શખ્સનો કિસ્સો સામે આવ્યો છે.
નવવિવાહિત દંપત્તિનો અનોખો નિર્ણય
પાણીની સમસ્યાને ઉજાગર કરવા માટે કરી આ પહેલ
દંપત્તિએ જાનને પાણીના ટેન્કર પર નિકાળવાનો નિર્ણય કર્યો
નવવિવાહીત દંપત્તિએ પાણીના ટેન્કર પર કાઢી જાન
મહારાષ્ટ્રના એક નવવિવાહિત દંપત્તિએ પોતાની જાનને પાણીના ટેન્કર પર નિકાળવાનો નિર્ણય કર્યો. આ સાથે તેણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી સમસ્યાનુ સમાધાન થતુ નથી ત્યાં સુધી તેઓ હનીમુન પર નહીં જાય. દંપત્તિના આ નિર્ણયના કારણે આ લગ્ન ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અનોખી પહેલની શરૂઆત 32 વર્ષના વિશાલ કોલેકરે કરી, જે પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યાથી વધુ પરેશાન હતા. તેમણે આ મુદ્દે અનેક દલીલો પણ કરી. પરંતુ કોઈ સુનાવણી ના થવાને કારણે સમસ્યા યથાવત રહી. પાણીની જરૂરીયાતને પૂરી કરવા માટે લોકોએ પ્રાઈવેટ પાણીના ટેન્કર મંગાવવા પડે છે. આ મુદ્દે જોર આપતા વિશાલ કોલેકર અને તેની પત્ની અપર્ણાએ જણાવ્યું કે તેમણે જાન માટે કોઈ કાર અથવા રથને નહીં પરંતુ પાણીના ટેન્કરને પસંદ કર્યુ છે.
Maharashtra | A Kolhapur couple rode a water-tanker on their wedding day, to call attention to the ongoing water crisis in the city. The newly-weds have vowed "not to go on a honey-moon until this crisis ends," according to the message on the tanker.
આ લોકોની પાણીની સમસ્યાનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો છો કે તેમણે ટેન્કર પર એક બેનર લગાવી દીધુ. જેના પર લખવામાં આવ્યું હતુ કે જ્યાં સુધી તેમના ત્યાં પાણીની સમસ્યાનું સમાધાન થતુ નથી ત્યાં સુધી તેઓ હનીમુન પર નહીં જાય. આમ, કોઈ સામાજિક સમસ્યાને વહીવટી તંત્રની સામે ઉજાગર કરવા માટે આ રીત અનોખી છે.