તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાભાભીનો સીધો સંબંધ એલિયન સાથે છે. સોશ્યલ મીડિયા પર લાંબા સમય બાદ આ વીડિયો ફરી વાયરલ થઇ રહ્યો છે.
દયાભાભીનો સંબંધી છે 'જાદુ'
સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ
જાણો બંને વચ્ચે શું સંબંધ છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને સૌ જોવાનું પસંદ કરે છે. આ શો લોકોને 13 વર્ષથી એન્ટરટેઇન કરે છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે જેમાંની એક છે દયાભાભી. શોના તમામ કલાકારો સોશ્યલ મિડીયા પર એક્ટિવ રહે છે. તેવામાં ફેન્સે એક વીડિયો શોધી કાઢ્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.
દયાભાભીનો 'જાદુ' સાથેનો સંબંધ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લીડ એક્ટ્રેસ દયાભાભીનો કોઇ મિલ ગયા'ના 'જાદુ' સાથે સંબંધ છે. તમે વિચારતા હશો કે આ કઇ રીતે શક્ય છે. પણ આ સત્ય છે. કોઇ મિલ ગયા'ના 'જાદુ'નું પાત્ર ઇન્દ્રવદન પુરોહિતે ભજવ્યું છે. તેઓ એક વખત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંના એક એપિસોડમાં પણ આવ્યા છે. આ એપિસોડમાં તેમણે દયાભાભીના 'જીવાકાકા'નું પાત્ર ભજવ્યું હતું. તો આમ, દયાભાભી અને જાદુ વચ્ચે રીલ સંબંધ છે.
શો પર નજર આવ્યો હતો 'જાદુ'
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડમાં સુંદરલાલ, જેઠાલાલના ઘરે 'શ્રી સાંઇભક્ત મંડળ' મંડળીને લઇને પહોંચ્યો હતો. આ મંડળીમાં દયાભાભીના તમામ સગાં-સબંધીઓ હતા જેમાંના એક 'જાદુ' એટલે કે ઇન્દ્રવધન પુરોહિત પણ હતા. હવે ઘણાં વર્ષો બાદ તેનો વીડિયો વાયરલ થઇ ગયો છે.
શોમાં હવે દયાભાભી નથી આવતી નજર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ અને દયાભાભી એવા પાત્રો છે કે જેને લોકો સૌથી વધુ જોવાનું પસંદ કરે છે. પરંતુ લાંબા સમયથી દયાભાભી શો પર જોવા નથી મળી. ફેન્સ દયાભાભીના પાછા આવવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે પણ તેમની તરફથી શો વિષયક કોઇ જ અપડેટ નથી.