શ્રીલંકા સામેની શ્રેણી પહેલા વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન ગયો હતો, જ્યાં તેણે નીમ કરૌલી બાબાના આશ્રમની મુલાકાત લીધી હતી
શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં વિરાટ કોહલીએ સદી ફટકારી
વૃંદાવનથી પાછા આવતા જ કોહલીની વિરાટ સેન્ચુરી
વૃંદાવનમાં નીમ કરૌલી બાબાના આશ્રમની મુલાકાત લીધી હતી
શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. વિરાટે 113 રનની ઇનિંગ રમી આ તેની કારકિર્દીની 45મી ODI સદી હતી. સ્ટાર બેટ્સમેન કોહલી વિરામ બાદ વાપસી કરી રહ્યો હતો, તેથી જ્યારે આ સદી આવી ત્યારે ચાહકો ખુશ થઈ ગયા હતા. ચાહકોએ તેને વિરાટ કોહલીની વૃંદાવન મુલાકાત સાથે પણ જોડ્યું હતું. આ શ્રેણી પહેલા વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન ગયો હતો, જ્યાં તેણે નીમ કરૌલી બાબાના આશ્રમની મુલાકાત લીધી હતી. અહીંથી પરત ફર્યા બાદ વિરાટ કોહલીએ સદી ફટકારી હતી.
સોશિયલ મીડીયા પર અલગ-અલગ પોસ્ટોનો વરસાદ
આ ઇનિંગ પછી સોશિયલ મીડિયા પર અદભૂત પ્રતિક્રિયાઓ આવી હતી. કેટલાક ચાહકોએ લખ્યું કે, વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા, કેએલ રાહુલ, શુભમન ગિલ પણ બાબા નીમ કરૌલીના આશ્રમમાં જવાનું પસંદ કરશે.
Shikar bhai, ham log Bhi ek bar neem Karoli Baba ka dhaam ghoom kar aaye kya? pic.twitter.com/EdwlMxy8vi
— Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) January 10, 2023
કેટલાક મીમ્સ પણ સામે આવ્યા છે, જેમાં ટીમની બહાર રહેલા શિખર ધવન અને પૃથ્વી શૉ પણ ત્યાં જવાની ચર્ચા કરી રહ્યા છે.
સીરીઝ પહેલા વિરાટ કોહલી અનુષ્કા-વિરુષ્કા સાથે વૃંદાવન ગયા હતા
મહત્વનું છે કે, શ્રીલંકા સીરીઝ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમની પુત્રી વિરુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યા હતા. અહીં તેણે આશ્રમની મુલાકાત લીધી, ત્રણેયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બધા આશ્રમમાં બેઠા હતા.
નોંધનીય છે કે, વિરાટ કોહલીએ 10મી જાન્યુઆરીએ શ્રીલંકા સામે શ્રેણીની પ્રથમ વનડેમાં સદી ફટકારી છે. વિરાટે 113 રનની ઇનિંગ રમી જેમાં 12 ફોર અને 1 સિક્સ સામેલ હતી. વિરાટ કોહલીની આ ઇનિંગના આધારે ભારતે શ્રીલંકા સામે 7 વિકેટે 373 રન બનાવ્યા હતા.
For his stupendous knock of 113 off 87 deliveries, @imVkohli is adjudged Player of the Match as #TeamIndia beat Sri Lanka by 67 runs.