વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં પરત ફર્યો છે. શ્રીલંકા સામેની પ્રથમ ODIમાં તેણે શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. કોહલી એક સમયે ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનવા માટે ભૂતપૂર્વ દિગ્ગજ એમએસ ધોનીનું પણ સન્માન કરતો ન હતો.
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ફર્યો પરત
કેપ્ટન બનવા કોહલીએ ધોનીથી લીધો હતો પંગો
શાસ્ત્રીએ ફોન પર સમજાવ્યો
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં પાછો ફર્યો છે. શ્રીલંકા સામે પહેલા વન ડેમાં તેણે 113 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ તેની 45મી સેન્ચુરી છે. તે હવે સચિન તેંડુલકરના સૌથી વધુ 49 વન ડે રેન્ચુરીના રેકોર્ડથી માત્ર 4 સ્ટેપ દૂર છે. શ્રીલંકા સામે બીજી વનડે આજે કોલકાતામાં રમાઈ રહી છે. આવી સ્થિતિમાં બધાને આશા છે કે કોહલી ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં સફળ રહેશે.
આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે પોતાના પુસ્તક 'કોચિંગ બિયોન્ડ'માં કોહલી અને એમએસ ધોની વચ્ચેના સંબંધોને લઈને મોટો ખુલાસો કર્યો છે. શ્રીધરે લખ્યું છે કે ટેસ્ટ કેપ્ટનશીપ મળ્યા બાદ કોહલી વનડે અને T20 ટીમની કેપ્ટનશિપ કરવા માટે ખૂબ જ ઉત્સુક હતો અને તેણે પૂર્વ કેપ્ટન ધોનીની અવગણના કરવાનું શરૂ કર્યું.
શ્રીધરે પુસ્તમાં લખ્યી છે આ વાત
આર શ્રીધરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, 2016માં એક એવો સમય આવ્યો, જ્યારે વિરાટ કોહલી ટેસ્ટ સિવાય વ્હાઈટ બોલની ટીમનો કેપ્ટન બનવા માટે ખૂબ જ ઉત્સુક હતો. તેની ઘણી વાતો પરથી લાગતું હતું કે તે આ ફોર્મેટની પણ કેપ્ટનશીપ ઈચ્છે છે. આ પછી ટીમ ડાયરેક્ટર રવિ શાસ્ત્રીએ તેમને બોલાવીને સમજાવ્યા.
એ વાત બધાને ખબર છે કે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી. 2021 માં T20 વર્લ્ડ કપ પછી, તેણે T20 કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું, જ્યારે બોર્ડે બાદમાં તેમની પાસેથી ODI ટીમની કેપ્ટનશીપ પાછી લઈ લીધી.
માન આપો, તો તમને સન્માન મળશે
રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને કહ્યું કે તમને વન ડે ટીમની કેપ્ટનસી મળી છે. અત્યારે ધોની વ્હાઈટ બોલની ટીમનો કેપ્ટન છે અને તમારે તેનું સન્માન કરવું જોઈએ. ધોની તમને યોગ્ય સમયે વ્હાઈટ બોલની ટીમની કેપ્ટનશીપ પણ આપશે.
જો તમે તેનો આદર કરશો, તો જ્યારે તમે કેપ્ટન બનશો ત્યારે કોઈ તમારો આદર કરશે નહીં. તમારે કેપ્ટનશિપ પાછળ ન દોડવું જોઈએ, તમને એક દિવસ કેપ્ટનશિપ મળશે. શ્રીધરે જણાવ્યું કે કોહલીએ શાસ્ત્રીની વાત માની લીધી અને બાદમાં કોહલીને વ્હાઈટ બોલની ટીમની કેપ્ટનશીપ મળી.
ધોનીએ કર્યો હતો મેસેજ
હાલમાં જ વિરાટ કોહલીએ એમએસ ધોનીની વાતને યાદ કરતા કહ્યું કે જ્યારે તેણે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી ત્યારે માત્ર ધોનીએ જ તેને મેસેજ કર્યો હતો. મારો નંબર ઘણા લોકો પાસે છે અને ઘણા લોકો મને ટીવી પર સલાહ આપતા રહે છે, પરંતુ આ દરમિયાન મને કોઈનો મેસેજ મળ્યો નથી.
એ વાત જાણીતી છે કે કેપ્ટન્સી છોડ્યા બાદ કોહલીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા ટી20 વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે, ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું.